Abtak Media Google News

હાલ સમગ્ર વિશ્વ માં કોરોના વાઇરસે માજા મૂકી છે આ વાઇરસ મૂળ ચીન થી ફેલાયો છે હાલ સમગ્ર દુનિયા માં આ કોરોના વાઇરસે હાહાકાર મચાવી દીધો છે અને આપણા ભારત દેશમાં અને ગુજરાત માં પણ ઘણા પોઝિટિવ રીપોર્ટ આવ્યા છે ત્યારે આજે સરકારી આર્યુવૈદીક દવાખાનું ગાયત્રી શક્તિપીઠ લીંબડીના ડો. મણીજભાઈ તારવાણીનામાર્ગદર્શન એસ.ટી.ડેપો ના સમગ્ર સ્ટાફ તેમજ કર્મચારીઓ દ્વારા કોરોના વાયરસ ના સંક્રમણ સામે આર્યુવૈદિક ઉકાળો નું લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું અને આજથી પાંચ દિવસ સુધી આ ઉકાળો સવારે ૯-૦૦ થી ૧૧-૦૦ કલાકે લીંબડી એસ.ટી.ડેપો માં લોકો ને મફત આપવામાં આવશે.

તેમજ સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય માટે ના રક્ષણ મળી રહે તે માટે બસો ની સાફસુફાઈ પણ કરવામાં આવી હતી.

તેમજ મેડિકલ ઓફિસર ડો. મનોજકુમાર તરવાની ના માર્ગદર્શન નીચે લીંબડી એસ.ટી.ડેપો મેનેજર દિલીપકુમાર પરમાર, અને મદનસિંહ જાડેજા, રાજભા રાણા, લલિતભાઈ સોલંકી, યશવતસિંહ પરમાર, જ્યૂભા રાણા, દીપસિંહ ઝાલા, લખધીરસિંહ ઝાલા, રામદેવસિંહ વાઘેલા, તેમજ સ્ટાફ, કર્મચારીઓ નિઃસ્વાર્થ રીતે લોકોની સેવા કરી રહિયા છે. કોરોના વાયરસ સામે મોટી સંખિયા માં લોકો ને ઉકાળો પીવડાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.