Abtak Media Google News

કાર સાઇડમાં લેવાનું કહેતાં તલવારી હુમલો કરાયો:૧૦થી વધુ શખ્સો સામે ગુનો નોંધાયો

સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં તા.૧૬ના રોજ સાંજે રસ્તા પર પડેલી કાર સાઇડમાં લેવાનું કહેતા બોલાચાલી થઇ હતી. જેમાં ઢીકાપાટુ વડે માર મારી તલવારી હૂમલો કરાયાની ૧૦થી વધુ શખ્સો સામે એ ડીવીઝન પોલીસ મકે ફરિયાદ નોંધાઇ છે.સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં રહેતા મહેબુબભાઇ હારૂનભાઇ મોવર બાઇક લઇને શંકર ભગવાનના મંદિર પાસેથી પસાર તથા હતા.

ત્યારે રસ્તામાં પડેલી કાર સાઇડમાં લેવાનું કહેતા બોલાચાલી થઇ હતી. જેમાં ગાળો આપી મહેબુબભાઇના ઘેર જઇ મારી નાંખવાની ધમકી અપાઇ હતી. ત્યારબાદ મહેબુબભાઇ અને તેમના કાકા આ ઝઘડાનું સમાધાન કરવા જતા પૃથ્વીરાજસિંહ ઉર્ફે મીન્ટુ ઉર્ફે ભાણો ગીરીરાજસિંહ ઝાલા,સૂર્યદીપસિંહ ઉર્ફે દિવ્યરાજસિંહ સતુભા રાણા, હરદેવસિંહ મહીપતસિંહ જાડેજા, વિપુલસિંહ બાપાલાલ પરમાર ઉપરાંત ૬ થી ૭ અજાણ્યા શખ્સોએ લાકડી અને લોખંડના પાઇપ વડે મારામારી કરી હતી. જેમાં પૃથ્વીરાજસિંહે તલવારી માાના ભાગે મુસ્તુફાભાઇ પર હૂમલો કરતા મુસ્તુફાભાઇને સારવાર માટે દવાખાને લઇ જવાયા હતા. વધુ તપાસ પીએસઆઇ એસ.એસ.વરૂ ચલાવી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.