Abtak Media Google News

મહંત પૂ. રામાનંદબાપુ બ્રહ્મલીન થતા બ્રહ્મચારી બાપુની ચાદર વિધિ કરાઈ

ચોટીલા ના માંડવ વન માં આવેલ ખોડિયાર આશ્રમ ના મહંત પૂ. રામાનંદ બાપુ તાજેતરમાં બ્રહ્મલીન થયા હતાં ત્યારે નવા મહંત તરીકે પૂ. બ્રહ્મચારી બાપુ ની ચાદરવિધિ કરવામાં આવતાં હવે તેઓ આશ્રમ ના ગાદીપતિ બન્યાં હતાં. આ પ્રસંગે ચોટીલા , હરીદ્વાર , મથુરા સહિત ની ધાર્મિક જગ્યાઓ ના સંતો મહંતો ખાસ પધાર્યાં હતાં.

ચોટીલા ના માંડવ વન માં ઝરીયા્ મહાદેવ રોડ ઉપર સેવા ના ધામ તરીકે પ્રસિદ્ધ ખોડિયાર આશ્રમ ના મહંત પૂ.રામાનંદ બાપુ થોડા દિવસો પહેલા દેવલોક પામ્યાં હતાં. જ્યારે નવા મહંત તરીકે સાધુ પરંપરા મુજબ પૂ. બ્રહ્મચારી બાપુ ની ચાદર વિધિ કરવામાં આવી હતી અને હવે ખોડિયાર આશ્રમ ના મહંત તરીકે પૂ. બ્રહ્મચારી બાપુ આશ્રમ માં સમુહ્ લગ્નો ,અંધ અપંગ ગાયમાતા ની સેવા , ભુખ્યા ને ભોજન જેવી સ્વ.પૂ.રામાનંદબાપુ એ શરૂ કરેલ સેવાકીય ધાર્મિક કાર્યો ની સરવાણી શરૂ રાખશે.

આ ધાર્મિક કાર્ય ચાદરવિધિ પ્રસંગે ચોટીલા ચામુંડા માતાજી ડુંગર મહંત પરિવાર ના અશ્વિનગિરિ ગોસાઇ , ચોટીલા ની ધારશી ભગતજી ની મોટી જગ્યા ના મહંત પૂ.હરિપ્રસાદ નિમાવત બાપુ , હરીદ્વાર થી ખાસ પધારેલા નિરંજન અખાડાના પૂ.માધવાનંદ બાપુ , મથુરા આશ્રમ ના પૂ.હરીહરાનંદ બાપુ સહિત અન્ય ધાર્મિક જગ્યાઓ , મંદિરો ના સંતો મહંતો અને હરીભકતો ખાસ્ ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.