Abtak Media Google News

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની સિનિયર સિલેક્ટર કમિટીએ દુબઈમાં ચાલી રહેલા એશિયા કપ ટૂર્નામેન્ટમાં રમી રહેલી ટીમ ઈન્ડિયામાં ત્રણ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફાર મુજબ ટીમના ત્રણ ઈજાગ્રસ્ત પ્લેયર્સ હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને શાર્દૂલ ઠાકુર એશિયા કપમાંથી બહાર થઈ ગયા છે. બીસીસીઆઈએ ગુરુવારે તેની જાણકારી આપી.

બીસીસીઆઈએ કહ્યું,’ભારતીય ટીમમાં હાર્દિક, અક્ષર અને શાર્દૂલના સ્થાને એશિયા કપ માટે હવે દીપક ચહર, રવીન્દ્ર જાડેજા અને સિદ્ધાર્થ કૌલને સામેલ કરવામાં આવ્યા છે.’ બોર્ડે કહ્યું, હાર્દિકને પાકિસ્તાન વિરુદ્ધની મેચ દરમિયાન પીઠમાં ઈજા થઈ હતી. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની તપાસ કરી રહી છે. આ ઈજાના કારણે તે બાકી બચેલી મેચોમાં ભારતીય ટીમ સાથે નહીં રમી શકે.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.