Abtak Media Google News

વડિયા ગામની મધ્યમાંથી પસાર થતી સુરવોનદી જે કૃષ્ણપરા અને સુરગપરા વિસ્તારને જોડતા સ્નેહલ પુલ નીચે આજે વહેલી સવારે પસાર થતા સ્થાનિક લોકોને એક વ્યક્તિનો પાણીમાં મૃતદેહ તરતો જણાઈ આવ્યો હતો અને લોકોની ભીડ સ્નેહલપુલ પર થવા લાગી હતી લોકોની આ ભીડમાં આ વ્યક્તિ કોણ છે કયાનો છે તેવા સવાલો થઈ રહયા હતા સ્થાનિક લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી કે અહીં એક વ્યક્તિનો પાણીમાં મૃતદેહ દેખાઈ રહ્યો છે તંત્રને જાણ થતા તંત્ર દ્વારા લોકોની ઉમટેલી ભીડને કોરોના મહામારીને ધ્યાને લઈને ભીડને હળવી કરવામાં આવી ત્યાર બાદ સ્થાનિક તરવૈયાઓ દ્વારા વ્યક્તિનો મૃતદેહ પાણીમાંથી બહાર કઢાયો આ મૃતદેહ વડીયાનો રહેવાસી વ્યક્તિ મુખ્ય બજારમાં દુકાન ધારક જ જણાઈ આવતા ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી ગઈ અને કોરોના મહામારીને લઈને લોકોના ધંધા રોજગાર ઠપ્પ થયા છે આ સીધોસાદો વ્યક્તિએ પોતાની સાઇકલ પુલની સાઈડમાં મૂકીને બેકારીથી કંટાળીને પગલું ભર્યું હશેની લોકોમાં ચર્ચાઓ દુ:ખ સાથે જણાઈ જણાઈ આવી હતી…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.