Abtak Media Google News

રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસવોટિંગની વચ્ચે બીજેપી માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યાં છે. બીજેપી તરફી પડેલા બે મત રદ્દ થશે એમ અર્જૂન મોઢવાડિયાએ કહ્યું છે. ચૂંટણીના નિયમનો હવાલો આપતા અર્જૂન મોઢવાડિયાએ કહ્યું કે રાઘવજીભાઈ પટેલ અને ભોળાભાઈ પટેલનો મત રદ્દ થશે. આ બંને નેતાઓએ નિયમવિરૂધ જઈ કોંગ્રેસ અને ભાજપના એજન્ટને બેલેટ પેપર બતાવ્યું છે. જે ચૂંટણી પંચનું ઉલ્લંઘન છે. અગાઉ રાજસ્થાન અને હરિયાણામાં પણ આ પ્રકારના બનાવ બન્યા હતા. જેમાં દંડાત્મક પગલા પણ લેવાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.