Abtak Media Google News

આજકાલ કેરાલાની લવ જેહાદની ઘટના ચર્ચાનો વિષય બની છે ત્યારે બીજી તરફ બાળકોમાં બ્લુ વેલ ગેમ જે બાળકોને આત્મહત્યા કરવા મજબુર કરતી હોવાની વાતો પણ ચર્ચાનો વિષય બની છે ત્યારે કેરાલાનાં લવજેહાદના આ કેસમાં સુપ્રિમ કોર્ટનાં આદેશથી આ કેસ નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીને સોપવામાં આવ્યો છે તેવા સમય દ્વારા એવું દર્શાવાયું છે કે લવજેહાદની આ ઘટના અને બાળકો માટેની બ્લુ વેલ સ્યુસાઇડ ગેમ માટે મનોવૈજ્ઞાનિક કારણો પણ જવાબદાર હોઇ શકે છે.

કેરાલાની ઘટના અનુસાર ૨૫ વર્ષીય યુવતીએ પ્રથમ ઇસ્લામધર્મ અંગીકાર કર્યો અને પછી એક મુસ્લીમ યુવક સાથે લગ્ન કર્યા અને એ યુવતી જે હોમીયોપેથીમાં કામ કરતી હતી તેણે અચાનક કોઇ કારણો દર્શાવ્યા વગર કામ છોડી દીધુ આ બધી ઘટનાઓ ઘટવા પાછળ એક મુસ્લીમ યુવક સાથે લગ્ન કર્યા અને એ યુવતી જે હોમીયોપેથીમાં કામ કરતી હતી. તેણે અચાનક કોઇ કારણો દર્શાવ્યા વગર કામ છોડી દીધુ આ બધી ધટનાઓ ઘટવા પાછળ કંઇને કંઇ મનોવૈજ્ઞાનિક કારણ જવાબદાર હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ બ્લુ વેલ જે એક સ્યુસાઇડ ગેમ તરીકે પણ જાણીતી છે જે બાળકોને રમતનાં  એવા ટાસ્ક આપે છે જેનો અંત આત્મહત્યામાં પરિણમે છે જેની સરખામણી કરતાં સુપ્રિમ કોર્ટે એના માટે પણ કોઇ મનોવૈજ્ઞાનિક કારણ જવાબદાર હોવાનું માનવામાં આવ્યું છે. બંને પાછળ કોઇ અલગ અલગ ક્ષેત્રનાં ચક્રવ્યુહ જેવા ચક્રોગતિમાન છે જે વ્યક્તિઓને આ બધુ કરવા પ્રેરીત કરે છે અને મજબુર કરે છે.

એવું પણ માનવામાં આવે છે લવજેહાદ અંતર્ગત લગ્ન કરાવવા પાછળ કંઇક છુપુ નેટવર્ક પણ કાર્યરત છે જેમાં કેરાલા પોલીસ સામે પોપ્યુલર ફ્રંટ ઓફ ઇન્ડીયા સોશિયલ ડેમોફ્રેટીક પાર્ટી ઓફ ઇન્ડીયા દ્વારા ચલાવાતુ મર્કાઝુલ, હીદયા સાસ્યાસરની એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવાઇ રહ્યું છે જે લોકોને ધર્માન્તરણ કરાવવામાં સંડોવાયેલું છે તેવી વિગતો પ્રાપ્ત થયાનું પણ જણાવ્યું હતું.

તો આ રીતે વ્યક્તિના માનસ પર અસર કરતાં તત્વો પણ લવજેહાદ અને બ્લુ વેલ ગેમ જેવી ઘટનાને આકાર આપવા જવાબદાર હોઇ શકે છે તેવું એક અનુમાન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.