Abtak Media Google News

બે મહિલા સહિત ચાર અસામાજીક તત્વો દ્વારા સ્થાનિકોને ત્રાસ અપાતો હોવાની રાવ: તાકીદે કાર્યવાહીની માંગ

જામનગરનાં સુભાષપરામાં થતા દેહવ્યાપાર સામે લતાવાસીઓએ એસપીને આવેદન પાઠવ્યું છે. આ વિસ્તારમાં બે મહિલા સહિત ચાર અસામાજીક તત્વો દ્વારા ગેરકાનુની પ્રવૃત્તિક કરીને સ્થાનિકોને ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપ સાથે લતાવાસીઓએ તાકીદે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

જામનગરનાં સુભાષપરા શેરી નં.૧, પારસીનાં પગથીયા પાસે રહેતા લતાવાસીઓએ એસપીને પાઠવેલા આવેદનમાં જણાવાયું હતુ કે આ વિસ્તારમાં રહતે ઝરીના ઉર્ફે ઝરી દ્વારા દેહવ્યાપાર કરવામાં આવે છે.

સાથે બાબો ઈબ્રાહીમ ખફી તેમજ તેમની પત્ની અને ગઢાર સુમરા દ્વારા દારૂનો ધંધોકરી કુટણખાનાની પ્રવૃત્તિને પણ મદદ કરવામાં આવે છે. આ તમામ અસામાજીક તત્વો દ્વારા ગેરકાનુની પ્રવૃત્તિઓ કરવા ઉપરાંત સ્થાનિકોને ત્રાદ પણ આપવામાં આવે છે. જેથી તેઓની સામે તાત્કાલીક પગલા ભરવામાં આવે તેવી માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.