Abtak Media Google News

રાજકીય આગેવાનો તથા અનેક કાર્યકરો આવેદનવેળાએ જોડાયા

ગુજરાત રાજ્યમાં પાણીની તંગીથી ઉભી થયેલી વિકટ સમસ્યા મુદ્દે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી- NCPના કાર્યકરો દ્વારા તૈયાર કરવામાં આવેલ અહેવાલ ઉપર સરકાર દ્વારા કાર્યવાહી થાય તે માટે શંકરસિંહ વાઘેલા, જયંત પટેલ બોસ્કી, બબલદાસ પટેલ, રેશ્મા પટેલ, નિકુલસિંહ તોમર, સી.આર પટેલ સહિતના આગેવાનો અને NCPના કાર્યકરો દ્વારા ગઈકાલે  રાજ્યપાલ શ્રી ઓમ પ્રકાશ કોહલીજી ને રાજ ભવન ગાંધીનગર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષે આ અહેવાલ સંદર્ભે ગુજરાતમાં  સમગ્ર સ્થળે સત્વરે પીવાના પાણીની વ્યવસ્થાનું સુચારુ આયોજન કરાય અને આગામી સમયમાં આગોતરા આયોજન થકી જળ સંચયની કામગીરીને વૈજ્ઞાનીક ઢબે કરી ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થા તંત્ર ગોઠવાય તે જોવા રાજ્યપાલશ્રી મારફતે સરકારને તાકીદ કરાઈ.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષે અહેવાલ માં ગુજરાત સરકાર પાસે માંગણી કરી છે  કે દરેક તાલુકા, કક્ષાએ એક “પાણી તકેદારી સમિતિ” બનાવવી જોઈએ તેમાં પ્રતિષ્ઠિત નાગરિકો, રાજકીય આગેવાનો, પાણીના મુદ્દે કાર્યરત NGOના લોકોને સામેલ કરી TDOકે મામલતદાર ની અધ્યક્ષતામાં પાણીની સમસ્યા મુદ્દે થતી કાર્યવાહી નું આયોજન કરે તેમજ તેનું અમલીકરણ ગોઠવાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.