Abtak Media Google News

રાજકોટ એસ.ટી વિભાગ દ્વારા રાજકોટથી દીવ સુધીની વધુ એક એસી બસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જો કે અગાઉ બે બસો રાજકોટ-દીવના રૂટ પર ચાલતી હતી ત્યારે વધુ એક બસનો ઉમેરો કરવામાં આવતા મુસાફરોને સરળતા રહેશે.

રાજકોટ એસટી વિભાગે આજથી રાજકોટ-દીવ વચ્ચે નવી એસટી બસ શરૂ કરી છે. આ બસ દરરોજ સવારે ૧૦:૩૦ કલાકથી ઉપડશે. જો કે, અગાઉ રાજકોટથી દીવ વચ્ચે બે બસો ચાલતી હતી. વધુ એક બસનો રાજકોટ એસટી વિભાગ દ્વારા ઉમેરો કરવામાં આવ્યો છે.

દીવ જવા માટે મુસાફરોને અગાઉ સવારે ૯:૩૦ કલાકે તેમજ સાંજે ૬ વાગ્યે એસી બસની સુવિધા મળતી હતી ત્યારે નવી શ‚ કરાયેલી એસી બસ સવારે ૧૦:૩૦ કલાકે રાજકોટથી ઉપડશે. ઉપરાંત રાજકોટ એસટી વિભાગ દ્વારા ટૂંક સમયમાં રાજકોટથી ઉના વડે એસી સ્લીપર બસ ચાલુ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.