Abtak Media Google News

૧૫ થી ૨૧ ફેબ્રુઆરી સુધી વિનામુલ્યે મહાપ્રસાદનું આયોજન:સાત દિવસ ભજન-ભોજન અને ભકિતનો સમુદ્ર ઘુઘવાશે: ૧૭મીએ નેરન્દ્રબાપુ તેમજ સાધુ-સંતોના હસ્તે ધર્મ ધ્વજાનું આરોહણ: મહોત્સવ દરમિયાન નામી, અનામી કલાકારો દ્વારા ભજન સંતવાણીના વિવિધ કાર્યકમો યોજાશે

‘કબીર કહે કમાલ કો દો બાતા સીખ લે, કર સાહેબ કી બંદગી ઔર ભુખે કો અન્ન દે‘ એ વાતને પ્રસિદ્ધ કરતું આપાગીગાની જગ્યા-સત્તાધારધામ તેમજ આપાગીગાનો ઓટલો-ચોટીલા દ્વારા અવારનવાર વિવિધ પ્રકારની ધાર્મિક અને સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવતું હોય છે.ત્યારે દર વર્ષની માફક આ વર્ષે ગરવા ગીરનારની ગોદમાં મહાશિવરાત્રીના પાવનપર્વ નિમિર્ત જૂનાગઢ ખાતે ૧૮ વરણના લોકોની શ્રધ્ધા અને આસ્થા સમાન આપાગીગાના ઓટલા દ્વારા સમગ્ર જનતા માટે જાહેર અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવેલ છે. દરેક સમાજના દરેક લોકોને પ્રસાદ લેવા માટેનું જાહેરાત જનતાને હ્વદય પૂર્વકનું જૂનાગઢ ખાતે મહાશિવરાત્રીના પાવનપર્વ નિમિતે જાહેર અન્નક્ષેત્ર આયોજન કરવામાં આવેલ છે.

જેમાં સમગ્ર દેશભરમાંથી સાધુ સંતો, મહંતો, મહામંડલેશ્ર્વર તેમજ લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ લોકો અહીંયા પુણ્યનું ભાથુ બાંધવા માટે આવતા હોય છે તેમજ વાદળ સાથે વાતો કરતો ગીરીવર ગરવો ગઢ ગીરનાર, ગીરનારમાં જયાં “તેંત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે. ” નલનાથ, ૮૪ સિધ્ધ ૬૪ જોગણીઓ અને જેનાં શિખરો  પર શિખરો પર ગુરૂ ગોરખનાથ, ગુરૂ દતાત્રેયનાં બેસણા છે.અને જયાં સાક્ષાતમાં જગદંબા માતા બીરાજે છે, એવા પાવન પવિત્ર ગીરનારની ગોદમાં  જૂનાગઢ વસેલું છે . આ ગીરનાર ક્ષેત્રમા જયાં સાક્ષાત ભોળાનાથ પધારે  છે તે મહા શિવરાત્રીના મેળા દરમ્યાન જયાં ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ સર્જાય છે ત્યાં  સતાધાર આપાગીગાની જગ્યા અને આપાગીગાનો ઓટલો દ્વાર પરમ પૂજય સદગુરૂ દેવ જીવરાજ બાપુ શામજીબાપુના આર્શીવચનથી અઢારે વરણના દરેક સમાજના લોકો માટે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર જાહેર અન્નક્ષેત્ર તથા સંતવાણીના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ મેળામાં આપાગીગાના ઓટલા દ્વારા આ વખતે તા.૧૫-૨-૨૦૨૦ શનિવારથી જ ઉપસ્થિત મહા મંડલેશ્ર્વર, સાધુ-સંતો મહંતનો અને મહાનુભાવઓના હસ્તે કરવામાં આવશે અને અન્નક્ષેત્રનું શુભ ઉદ્ધઘાટન કરવામાં આવશે. જેની હાલના તબક્કે જોર શોરમાં ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્ત જૂનાગઢ શ્યામધામ મધુરમ ટીંબાવાડી તેમજ જૂનાગઢ શહેરના તેમજ જીલ્લાના અને ગ્રામ્ય વિસ્તારના  ગુર્જર ક્ષત્રિય કડીયા રાજકોટ શહેરના કાર્યકર્તાઓ દ્વારા તૈયારીઓની ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

આ સમગ્ર મહોત્સવ દરમ્યાન દરરોજ રાત્રીના નામી અનામી કલાકારો દ્વારા ભજન અને સંતવાણીના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં સાધુ-સંતો મહંતો ઉપસ્થિત આશિર્વચન પાઠવશે તેમજ મહાશિવરાત્રીના શુભ દિને દરેક લોકો માટે સમગ્ર દિવસ દરમ્યાન ફરાળ રૂપી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવશે.આ મેળાની લાભ લેતા હોય છે.ત્યારે તમામ ભાવીક ભકતજનો, માતાઓ, બહેનો, વડિલો, બાળકો, યુવાનોને ભોજન પ્રસાદ અને સંતવાણીનો લાભ લેવા માટે મહંત વિજયબાપુ ગુરૂ જીવરાજબાપુ-સત્તાધારધામ મહંત, નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજ બાપુ આપાગીગાનો ઓટલો, ચોટીલા (મોલડી) નરેન્દ્રભાઈ સોલંકી-ચેરમેન ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ-ગુજરાત રાજય તેમજ સમગ્ર સત્તાધાર અને આપાગીગાનો ઓટલાના સેવકગણ દ્વારા દરેક લોકોને  જાહેર નિમંત્રણ અપાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.