Abtak Media Google News

નવી દુધઈ પાસે જલારામ હોટેલ નજીક ટ્રક અને ટ્રેલર સામ-સામે ટકરાતાં ભુજના ખેંગારપરના બે આહીર યુવકોના મોત નીપજ્યાં છે. આ પ્રાણઘાતક અકસ્માતમાં ટ્રકના ક્લિનર ભાવેશભાઈ હરિભાઈ ચાડનું ગંભીર ઈજાઓથી  મોત નીપજ્યું હતું.Img 20190228 Wa0043 1

જ્યારે ટ્રકના ડ્રાઈવર અરવિંદ માવજીભાઈ ચાડએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. ટ્રેલરનો ચાલક નારણભાઈ માનાભાઈ રાજપૂત પણ ગંભીર રીતે ઘવાયો છે અને હાલ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગામનાં બબ્બે નવયુવાનોના મોતથી ખેંગારપર શોકમાં ડૂબી ગયું છે. બનાવ અંગે દુધઈ પોલીસે તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.