Abtak Media Google News

આવતીકાલે મંગળવારે અંગારકી ચોથ સંકટ ચતુર્થી અને ચિત્રા નક્ષત્ર શુભ સંગમ મહા વદ ચોથને મંગળવાર તારીખ 2/3/ 2021ના દિવસે અંગારકી ચોથ છે.

ખાસ કરીને વદ પક્ષમાં મંગળવાર આવતો હોય અને ચોથ તિથિ હોય તો તેને અંગારકી ચોથ તરીકે માનવામાં આવે છે. જે આવતીકાલે મંગળવારે છે આ દિવસે આખો દિવસ ઉપવાસ રહેવો ઉપવાસમાં ફળ ગઈ દૂધ અને છાશ લઈ શકાય સાંજના સમયે દિવસ આથમ્યા પછી ગણપતિ દાદાનું પૂજન કરવું પૂજનમાં ગુલાબની પાંખડીઓને દુર્વા ખાસ અર્પણ કરવી દાદા મેં ભાખરીયા લાડવા 11 અથવા 21 બનાવી અર્પણ કરવા અને રાત્રીના ચંદ્ર ઉદય થયા પછી ચંદ્રના દર્શન કરી અને લાડવા તથા દહીં છાશ પ્રસાદ તરીકે લઈ શકાય આમ આવી રીતના અંગારકી ચોથ રહેવાથી ગણપતિ દાદાનું પૂજન કરવાથી જીવનમાં કોઈ દિવસ મુસીબત આવતી નથી.

જે લોકોને જીવનમાં વારંવાર મુસીબત આવતી હોય તથા જે લોકોની જન્મ કુંડળીમાં મંગળદોષ હોય મંગળ હોય જે લોકોને રહેવાનું પોતાનું મકાન ન હોય તેઓએ ખાસ અંગારકી ચોથ ફળદાયી રહેશે ફળદાયી રહેશે ચંદ્ર ઉદયનો સમય રાત્રિના 10 મે 4 મિનિટ આવતીકાલે ખાસ કરીને ચિત્રા નક્ષત્ર કે જેના સ્વામી પણ મંગળ છે આવવાથી અંગારકી ચોથ વધારે ફળદાયી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.