Abtak Media Google News

યુપીના શખ્સે સુવા માટે આશરો આપી કરી હત્યા: સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ ઉકેલાયો ભેદ: સૃષ્ટિ વિ‚દ્ધનું કૃત્ય આચરવાનો કર્યો પ્રયાસ: લાશને થેલામાં નાખી કોઠારીયા રોડ પર ફેંકી દીધી: અપહરણ અને ખૂનના ગુનામાં પરપ્રાંતિય બુટ-ચંપલના ધંધાર્થીની ધરપકડVlcsnap 2018 09 22 12H57M26S145

શહેરમાં સોરઠીયા વાડી સર્કલ પાસે તંબુ બનાવી બુટ-ચંપ્પલ વેંચતા યુપીના શખ્સે આઠ વર્ષના માસુમ બાળકને રાત્રે સુવા માટે આશરો આપી ગળુ દાબી હત્યા કર્યાની ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઈ છે. મૃતક બાળક પર સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરી લાશને કોઠારીયા રોડ પર ફેંકી દીધાની શંકા સાથે પોલીસે  યુપીના શખ્સની ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મુળ મધ્યપ્રદેશના જાંબુવા નજીક આવેલા બાડીસરા ગામના વતની અને રાજકોટના સોરઠીયાવાડી સર્કલ પાસે કુટુંબી દાદાને ત્યાં રહી ધોરણ-૧માં અભ્યાસ કરતા ૮ વર્ષના માસુમ બાળક વિશ્ર્વાસની ગળુ દાબી હત્યા કર્યા બાદ સફેદ થેલામાં મૃતદેહ કોઠારીયા રોડ પર તપસી હોટલ પાસે ફેંકી દીધા અંગેની રૈયા ગામના નંદગાવ છાપરામાં રહેતા ઈમાન બાબુ બારીયાએ યુપીના બિટુ નામના શખ્સ સામે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સોરઠીયા વાડી સર્કલ પાસે રહેતા જમાલભાઈના કુટુંબી પૌત્ર વિશ્ર્વાસ રાજકોટ અભ્યાસ અર્થે આવ્યો હોવાથી તેમને ત્યાં રહેતો હતો. જમાલભાઈના ઘરે પંખાની સુવિધા ન હોવાથી સોરઠીયા વાડી સર્કલ પાસે તંબુ બનાવી બુટ-ચપ્પલ વેંચતા બિટુને ત્યાં વિશ્ર્વાસ, અજેશ અને અન્ય એક તરુણ રાત્રે સુવા જતા હતા. બે દિવસ પહેલા વિશ્ર્વાસને સ્કૂલે જવાનું હોવાથી તેના કુટુંબી દાદા જમાલ સોરઠીયાવાડી સર્કલે બિટુના તંબુમાં જગાડવા ગયા હતા. ત્યારે વિશ્ર્વાસ ત્યાં ન હોવાથી બિટુને પુછપરછ કરતા તેને કયાં ગયો તે અંગે અજાણ હોવાનું જણાવ્યું હતું.

ગત તા.૨૦ સપ્ટેમ્બરથી વિશ્ર્વાસ લાપત્તા બનતા ભક્તિનગર પોલીસમાં ગુમ નોંધ લખાવી શોધખોળ હાથ ધરી હતી. પોલીસે સોરઠીયાવાડી સર્કલ ખાતેના સીસીટીવી ફૂટેજ નિહાળતા વિશ્ર્વાસ તા.૨૦મીએ બિટુના તંબુમાં જતો જોવા મળ્યો હતો અને તા.૨૧મીએ બિટુને સફેદ થેલા સાથે બહાર નિકળતા જોવા મળ્યો હોવાથી પીઆઈ વી.કે.ગઢવી સહિતના સ્ટાફે બિટુની પુછપરછ હાથ ધરી હતી.

બિટુની પુછપરછ દરમિયાન વિશ્ર્વાસનું ગળુ દાબી હત્યા કરી લાશને સફેદ થેલામાં પેક કરી કોઠારીયા રોડ પર આવેલ તપસી હોટલ ખાતે ફેંકી દીધાનું કબુલાત આપતા પોલીસે વિશ્ર્વાસનો મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા હોસ્પિટલ ખસેડયો છે. આઠ વર્ષના માસુમ વિશ્ર્વાસ પર બિટુએ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરી હત્યા કર્યાની શંકા સાથે બિટુની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે. વિશ્ર્વાસના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ થયા બાદ તેના પર સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય થયું છે કે નહીં તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું ભક્તિનગર પોલીસે જણાવ્યું છે.

વિકૃત બિટુની પત્ની ડિલેવરી માટે પિયર જતા માસુમ બાળકનો હવસનો શિકાર બનાવવા પ્રયાસ કર્યો

સોરઠીયાવાડી સર્કલ પાસે આઠ વર્ષના માસુમ બાળક વિશ્ર્વાસની હત્યાના ગુનામાં ઝડપાયેલા ઉત્તરપ્રદેશના બિટુની એ.સી.પી. રાઠોડ અને ભક્તિનગર પી.આઈ. વી.કે.ગઢવી સહિતના સ્ટાફે કરેલી પુછપરછ દરમિયાન તેની પત્ની ચારેક માસથી ડિલેવરી માટે પોતાના વતન પિયરમાં ગઈ છે અને આઠેક દિવસ પહેલા જ પુત્રીને જન્મ આપ્યો છે. છેલ્લા ચાર માસથી એકલવાયુ જીવન જીવતો બિટુએ વિશ્ર્વાસ પર નજર બગાડી સૃષ્ટિ વિરુધ્ધનો પ્રયાસ કરવા પોતાને ત્યાં બોલાવ્યો હોવાનું અને વિશ્ર્વાસે ઈન્કાર કરતા તેનું ગળુ દાબી મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશને બ્લેનકેટમાંથી વિટોળી ક્ષણના કોથળામાં પેક કર્યા બાદ સફેદ થેલામાં મૃતદેહ લઈ બાઈક પર કોઠારીયા રોડ પર તપસી હોટલ પાસે ફેકી દીધાની કબુલાત આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.