Abtak Media Google News

નરાધમે માસુમ બાળકને છરીના ઘા ઝીંકી દેતાં ગંભીર રીતે ઘવાયો બાવળની ઝાળીમાંથી બાળક લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો

દિવના શ્રમજીવી પરિવારના માસુમ બાળકને કામાંધ શખ્સે હવસનો શિકાર બનાવવા અવાવ‚ જગ્યાએ લઇ જઇ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી નરાધમની ઓળખ ન થાય તે માટે બાળકને મોતને ઘાટ ઉતારી દેવાના ઇરાદા સાથે છરીના ઘા ઝીંકી દીધાની ધ્રુણાસ્પદ ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઇ છે. બાળક પર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરનાર પર સમગ્ર પંથકમાં ફિટકાર વરસી રહ્યો છે. પોલીસે નરાધમ શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ રાજુલા સાસબંદર ગામના વતની અને દિવ ખાતેના ઘોઘલામાં મજુરી કામ કરતા વનરાજભાઇ ગુજરીયાના ૧૨ વર્ષના માસુમ પુત્ર વિકાસ ગતરાતે બાવળની ઝાળીમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવતા તેને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

વિકાસ ગુજરીયાની પૂછપરછ દરમિયાન તેના પર અજાણ્યા શખ્સે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી છરીના ઘા ઝીંકી ભાગી ગયાની ચોકાવનારી વિગતો જણાવતા સનસનાટી મચી ગઇ છે. ગંભીર રીતે ઘવાયેલા વિકાસ પર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કોને આચર્યુ તે અંગેની વિગતો મેળવવા પોલીસ દ્વારા સઘન તપાસ હાથધરવામાં આવી છે.

વિકાસ ગુજરીયા વેકેસન હોવાથી પોતાના માતા-પિતા સાથે દિવના ઘોઘલા ખાતે આવ્યો હતો અને ગઇકાલે તડકામાં રમતો હોવાથી છાયે જતો રહેવાનું કહેતા તે ત્યાંથી સાંજે ચારેક વાગે જતો રહ્યો હતો ત્યારથી તેની કોઇ ભાળ ન હોવાથી પરિવારજનો પાડોશીઓની મદદથી શોધખોળ શરૂ કરી હતી. ત્યારે રાતે પોણા દસેક વાગે નવોદય શાળા પાછળ બાવળની ઝાળીમાંથી વિકાશ ગુજરીયા લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો અને તેના પર અજાણ્યા શખ્સ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી છરીના ઘા ઝીંકી દીધાનું જણાવ્યું હતું.

પર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરનાર શખ્સને વિકાશ ઓળખતો હોવાથી તે પોતાના પરિવારને કહી દેશે તેવી દહેશત સાથે તેની હત્યા કરવાના ઇરાદે છરીના ઘા ઝીંકી દીધાની શંકા સાથે પોલીસે કામાંધ શખ્સની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.