Abtak Media Google News

બન્ને ભારે વાહનોમાં નુકશાની: કોઈ જાનહાની નહિ

માળીયા- જામનગર હાઇવે પર સરવડ ગામ નજીક ગઈકાલે સવારે ટ્રક અને ટેન્કર સામસામાં અથડાતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ બન્ને ભારે વાહનોમાં ભારે નુકશાની થઈ હતી.

પ્રાપ્ત થતી વિગત મુજબ ગઈકાલે સવારે માળીયા જામનગર હાઇવે પર સરવડ ગામ નજીક સતેશ્વર હનુમાનની જગ્યા પાસે ટ્રક અને ટેન્કર ધડાકાભેર સામસામા અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી. ટ્રક અને ટેન્કર વચ્ચે ભારે ટક્કર થઈ હોવાથી બન્ને ભારે વાહનોમાં નુકશાની થવા પામી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.