Abtak Media Google News

અંજાર તાલુકાના ચંદીયા ગામમાં એક ૧૧ વર્ષિય સગીરાનું અપહરણ કરી દુષ્કમ કરવામાં આવતા ગુના નોંધવામાં આવ્યો હતો. ભોગબનનારે ઘરે આવીને માતાને વાત કરતા મામલો બહાર આવ્યો હતો.

આ અંગે અંજાર તાલુકાના ચંદીયા ખાતે રહેતી એક ૧૧ વર્ષિય સગીરાને આરોપી કરસન વેરશી દેવીપુજક નામનો લલચાવી અપહરણ કરી ગયો હતો. આ વાત તેની માતાને પણ થઈ હતી. જેના પગલે તેઓને પોતાની પુત્રીની શોધખોળ પણ કરી હતી.

પરંતુ તેઓને પોતાની પુત્રી મળી ન હતી. તેવામાં પુત્રી ઘરે આવી હતી. તેણે આ શખ્સે દુષ્કર્મ કયું હોવાની આપવીતી માતાને કહી હતી. પરિવારજનો ચોંકી ઉઠયા હતા. અંતે આ શખ્સ સામે ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપીને પકડવા ચક્રોગતિ માન કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.