અમરેલી જિલ્લામા રેશનીંગના કેટલાક દુકાનદારોએ પોતાના કોમ્પ્યુટરમાં ડૂપ્લીકેટ સોફટવેર ઇન્સ્ટોલ કરી જરૂરિયાતમંદ લોકોને આપવાનું અનાજ બારોબાર ચાઉં કરી ગયાનુ કૌભાંડ બહાર આવ્યા બાદ જિલ્લા કલેકટરના હુકમના આધારે રાજુલા શહેરમા 11 ટીમોની રચના કરવામાં આવી છે. જે લોકોના ઘરે ઘરે જઇ અનાજ સહિતનો પુરવઠો મળ્યો કે નહી તેની તપાસ કરશે. અમરેલી જિલ્લામાં ડૂપ્લીકેટ સોફટવેરનો ઉપયોગ કરી લોકોના બોગસ થમ્બ ઇમ્પ્રેશન લઇ લેવામાં આવતા હતા અને તેના આધારે ફુડ કુપન જનરેટ કરી રેશનીંગનો મોટો જથ્થો સગેવગે કરવામાં આવતો હતો. જે અંગે ફરિયાદ નોંધાયા બાદ છ દુકાનદારોની ધરપકડ કરાઈ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા