Abtak Media Google News

રવિવારે સાંજે ૬ કલાકે પંચનાથ મંદિરે ૧૫૧ તુલસીના રોપા નિ:શુલ્કપણે અપાશે

સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા તા.૧૮ને રવિવારના રોજ સાંજે ૬ કલાકે પંચનાથ મંદિર ખાતે નિશુલ્કપણે તુલસી રોપાના વિતરણનું આયોજન કરવામાં આવશે. અબતકની મુલાકાતે આવેલા સંસ્થાના આગેવાનોએ જણાવ્યું હતુ કે ભારતીય સંસ્કૃતીમાં તુલસીનું અને‚ મહત્વ રહેલું છે. જોમાં સાદા તુલસી ઉપરાંત શ્યામ તુલસી અને તીલક તુલસી પણ હોય છે. માટે ૧૫૧ તુલસી રોપાનું વિતરણ કરવામાં આવશે.

તુલસી અંગે શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે, તુલસીના જડમાં બધા તિર્થધામ હોય છે. તેના મધ્ય ભાગમાં દેવીદેવતાનો વાસ છે. અને ઉપરના ભાગમાં વેદો હોય છે.તેથી દરરોજ સવારે તુલસીમાતાના દર્શન કરી નમન કરવું જોઈએ આમ કરવાથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે.

આ ઉપરાંત તુલસીની પૂજા કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. તેમ પણ માનવામાં આવે છે. દેવોની પુજા હોય શ્રાધ્ધ પૂજા હોય કે કોઈ પણ દેવી દેવતઓને ભોગ ચડાવવાનો હોય ત્યારે પણ તુલસીપાત્રક અવશ્ય મૂકવામાં આવશે. એક માન્યતા પ્રમાણે ભગવાન વિષ્ણુને કોઈ ભોગ ન ધરાવો તો ચાલશે પણ એક તુલસીપત્ર ધરાવશો તો પણ ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે આપણા હિન્દુ ધર્મ અનુસાર ઘરના આંગણમાં તુલસીનો છોડ રોપવામા આવે છે. આ અતી પ્રવિત્ર તુલસીનું મહત્વ છે. અને તુલસીના એક એક પાન, મુળીયા, ડાળીમાં અનેક દેવી દેવતાઓનો વાસ રહે છે.

આ તકે મંદિરના આગેવાન દેવાંગભાઈ માંકડના હસ્તે ધર્મપ્રેમી જનતાને શ્યામ તુલસીના રોપાનું મફત વિતરણ કરવામાં આવશે. આ તકે ખાસ વિશેષ ઉપસ્થિતિમાં એડવોકેટ અભયભાઈ ભારદ્વાજ તેમજ મેયર બિનાબેન આચાર્ય, સ્ટે.કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, નરેન્દ્રસિંહ ઠાકુર, તેમજ કિરક્ષટભાઈ પાઠક વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રમાબેન હેરભા, કાળુમામાના માર્ગદર્શન હેઠળ પ્રમુખ સુરેશભાઈ પરમાર સાથે હેમંતસિંહ ડોડીયા, પ્રકાશ વોરા, ગુણવંતભાઈ ભટ્ટ, પ્રવિણભાઈ ડોડીયા, પ્રભાબેન વસોયા, વિજયભાઈ કારીયા, લીલાબા જાડેજા, અ‚ણ નિર્મળ, દિવ્યાબેન રાઠોડ, દિપાબેન કાચા, દેવયાનીબેન રાવલ, સીમાબેન અગ્રવાલ, હર્ષિદાબા કનોજીયા, ભાવનાબેન ચતવાણી, શ્રધ્ધાબેન સિનોજીયા, પલ્લવીબેન ચૌહાણ, રચનાબેન ‚પારેલ, હિનાબેન રાજપરા, સોનલબેન પંડયા, રશ્મિબેન જાની, એડવોકેટ હિરલબેન જોષી, દિલ્પાબેન મકવારા, પન્નાબેન બુધ્ધદેવ, ભારતીબેન પંડયા, રશિદાબેન કાદરી, નુસરતબેન કાદરી, માયાબેન ગોહેલ, હિનાબેન રાજપરા, નીનાબેન વજીર, બીંદયાબેન અમલાણી, ઉષાબેન સોનેજી, ખ્યાતીબેન ભટ્ટ સહિત અનેક સભ્યો જહેમત ઉઠાવી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.