Abtak Media Google News

પોલિસની હાજરીમાં કોળી જૂથ દ્વારા ખેડૂતનું ઢીમ ઢાળી દીધુ’તુ

રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે જમીનનાં વિવાદમાં ગરાસીયા ખેડુતો પર કરાયેલા હુમલામાં ઘવાયેલા ગરાસીયા પ્રૌઢની હત્યાના ગુનામાં અક્ષીત છાયાની સેશન્સ કોર્ટે  જામીન અરજી અદાલતે નકારી કાઢતા હાઈકોર્ટમાં જામીન પર છુટવા કરેલી અરજીમાં અદાલતનું કડક વલણ જોતા જામીન અરજી પરત ખેંચી છે. રાજકોટની અદાલતમાં ચાર્જશીટ બાદ કરેલી જામીન અરજી નામંજુર કરી છે

વધુ વિગત મુજબ શહેરના ભાવનગર રોડ પર આવેલા ઠેબચડા ગામે ગત તા.૩૦ ના રોજ પોલીસની હાજરીમાં ખેડુતની પોતાની જ વાડીમાં કોળી જુથ દ્વારા તિક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવેલા હુમલામાં લગધીરસિંહ નવુભા જાડેજા નામના ૫૭ વર્ષના ગરાસીયા પ્રૌઢનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. જ્યારે અન્ય બે ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતા. આ બનાવમાં આજી ડેમ પોલીસ મથકના સ્ટાફે હરેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદી મગન બીજલ રાઠોડ, મહેશ છગન રાઠોડ, ખોડા છગન રાઠોડ, સંજય મગન રાઠોડ, લક્ષમણ લાલજી રાઠોડ, લાભુબેન છગનભાઈ રાઠોડ, દેવુબેન મગનભાઈ રાઠોડ, દક્ષાબેન લક્ષમણભાઈ રાઠોડ, કાન્તાબેન રમેશભાઈ રાઠોડ, કલ્પેશ ભીખુ સોલંકી, સંજય ભીખુ સોલંકી, નાથા જેરામ, ખીમજી નાથાભાઈ, ભુપત નાથાભાઈ, રોનક નાથાભાઈ, પોપટ વશરામભાઈ, કેશુબેન વશરામભાઈ, ચનાભાઈ વશરામભાઈ, સામજી બચુભાઈ, અક્ષીતભાઈ છાયા સામે ગુનો નોંધી ૧૫ શખ્સોની ધરપકડ કરી હતી.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હરેન્દ્રસિંહ સહિતના ખેડૂતની પોતાની જમીનનો કેસ સુપ્રિમ કોર્ટમાં જીતી ગયેલા તે જમીનમાં નહીં જવા દેતા પોલીસને જાણ કરતા પોલીસે આરોપીઓને સમજાવેલ છતાં નહીં સમજતાં વાતાવરણ તંગ જણાતા પોલીસે વધારાનો સ્ટાફ બોલાવેલ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા પ્રયત્ન કરતા ત્યારે કોળી જુથ દ્વારા પોલીસની હાજરીમાં બનાવ બનેલ હતો.

રાજકોટની સેશન્સ કોર્ટમાં જામીન અરજી નામંજુર થતા જેની સામે  અક્ષિત છાયાએ હાઈકોર્ટમાં જામીન પર છુટવા અરજી કરી હતી જેમાં બંને પક્ષોની દલીલોનાં અંતે નામંજુર કરવાનું વલણ અપનાવતા અક્ષિત છાયાએ જામીન અરજી પરત ખેંચવાની ન્યાયાધીશે પરવાનગી આપી હતી.

અક્ષીત છાયાએ ચાર્જશીટ બાદ રાજકોટની સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી જેમાં બંન્ને પક્ષોની રજુઆત બાદ સરકાર પક્ષે એપીપી રક્ષીત કલોલા દ્વારા કરવામાં આવેલી લેખીત મૌખીક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ ન્યાયધીશ પ્રશાંત જૈને અક્ષીત છાયાની જામીન અરજી નામંજુર કરી છે. આ કેસમાં મુળ ફરીયાદીના એડવોકેટ ‚રૂપરાજસિંહ પરમાર અને મનીષભાઇ પાટડીયા રોકાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.