Abtak Media Google News

કોળી જુથને ગેર માર્ગે દોરી અક્ષીત છાયાએ હત્યા માટે ઉશ્કેરણી કર્યાનું ખુલ્યું હતું

રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે જમીનનાં વિવાદમાં ગરાસીયા ખેડુતો પર કરાયેલા હુમલામાં ઘવાયેલા ગરાસીયા પ્રૌઢની હત્યાના ગુનામાં અક્ષીત છાયાની સેશન્સ કોર્ટે  જામીન અરજી અદાલતે નકારી કાઢતા હાઈકોર્ટમાં જામીન પર છુટવા કરેલી અરજીમાં અદાલતનું કડક વલણ જોતા જામીન અરજી પરત ખેંચી છે.

વધુ વિગત મુજબ શહેરના ભાવનગર રોડ પર આવેલા ઠેબચડા ગામે ગત તા.૩૦ ના રોજ પોલીસની હાજરીમાં ખેડુતની પોતાની જ વાડીમાં કોળી જુથ દ્વારા તિક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવેલા હુમલામાં લગધીરસિંહ નવુભા જાડેજા નામના ૫૭ વર્ષના ગરાસીયા પ્રૌઢનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. જ્યારે અન્ય બે ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતા. આ બનાવમાં આજી ડેમ પોલીસ મથકના સ્ટાફે હરેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદી મગન બીજલ રાઠોડ, મહેશ છગન રાઠોડ, ખોડા છગન રાઠોડ, સંજય મગન રાઠોડ, લક્ષમણ લાલજી રાઠોડ, લાભુબેન છગનભાઈ રાઠોડ, દેવુબેન મગનભાઈ રાઠોડ, દક્ષાબેન લક્ષમણભાઈ રાઠોડ, કાન્તાબેન રમેશભાઈ રાઠોડ, કલ્પેશ ભીખુ સોલંકી, સંજય ભીખુ સોલંકી, નાથા જેરામ, ખીમજી નાથાભાઈ, ભુપત નાથાભાઈ, રોનક નાથાભાઈ, પોપટ વશરામભાઈ, કેશુબેન વશરામભાઈ, ચનાભાઈ વશરામભાઈ, સામજી બચુભાઈ, અક્ષીતભાઈ છાયા સામે ગુનો નોંધી ૧૫ શખ્સોની ધરપકડ કરી હતી.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હરેન્દ્રસિંહ સહિતના ખેડૂતની પોતાની જમીનનો કેસ સુપ્રિમ કોર્ટમાં જીતી ગયેલા તે જમીનમાં નહીં જવા દેતા પોલીસને જાણ કરતા પોલીસે આરોપીઓને સમજાવેલ છતાં નહીં સમજતાં વાતાવરણ તંગ જણાતા પોલીસે વધારાનો સ્ટાફ બોલાવેલ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા પ્રયત્ન કરતા ત્યારે કોળી જુથ દ્વારા પોલીસની હાજરીમાં બનાવ બનેલ હતો.

આ ગુનામાં અક્ષીત કદમકાંત છાંયા નામના શખ્સે રાજકોટ કોર્ટમાં જામીન અરજી કરી હતી જેમાં મુળ ફરિયાદનાં એડવોકેટ રૂપરાજસિંહ પરમાર અને મનિષ પાટડિયાની તેમજ સરકાર પક્ષની લેખિત-મૌખિક દલીલ ધ્યાને લઈ ન્યાયાધીશે જામીન અરજી નાંમુજર કરી હતી.

રાજકોટની સેશન્સ કોર્ટમાં જામીન અરજી નામંજુર થતા જેની સામે સુત્રધાર અક્ષિત છાયાએ હાઈકોર્ટમાં જામીન પર છુટવા અરજી કરી હતી જેમાં બંને પક્ષોની દલીલોનાં અંતે મુળ ફરિયાદીનાં એડવોકેટ દ્વારા કરવામાં આવેલી ધારદાર રજુઆત તેમજ દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ જસ્ટીસ ડો.એ.સી.જોશીએ જામીન અરજી દરમિયાન ચાર્જશીટ થતા અને હાઈકોર્ટે નામંજુર કરવાનું વલણ અપનાવતા અક્ષિત છાયાએ જામીન અરજી પરત ખેંચવાની ન્યાયાધીશે પરવાનગી આપેલી છે. હાઈકોર્ટમાં વકિલ તરીકે વિકીભાઈ મહેતા રોકાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.