Abtak Media Google News

બોલિવુડના ખિલાડી કુમાર અને ફિલ્મમેકર કરણ જૌહર જલ્દી જ પોતાના ફેન્સ માટે એક સરપ્રાઈઝ લઈને આવના છે અને તેનું એલાન તેમણે સોશિયલ મીડિયા પર કર્યું છે. થોડા સમય પહેલા જ સલમાન ખાન, કરણ જૌહર અને અક્ષય કુમાર મળીને એક ફિલ્મ રીલીઝ કરવાના છે પરંતુ કોઈ કારણોસર સલમાને આ ફિલ્મથી પોતાના હાથ પાછા ખેચી લીધા છે પરંતુ કરણ અને અક્ષય મળીને આ ફિલ્મની રીલીઝ કરવાની જાહેરાત કરી દીધી છે.

અક્ષયે પોતાના ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેમની ફિલ્મનુ નામ અને તેની રીલીઝ ડેટ વિષે લખ્યું હતું. આ ફિલ્મ એ બૈટલ ઓફ સારાગઢી પર આધારિત હશે જેનું નામ “કેસરી” હશે. ફિલ્મને અનુરાગ સિંહ ડાયરેક્ટ કરશે. અક્ષયે આ પોસ્ટ સાથે કેપશનમાં લખ્યું કે આ ફિલ્મ શરૂ કરવા માટે વ્યક્તિગત રીતે ઘણા ઉત્સાહી છે.

આ સાથે જ કરણ જૌહરે પણ પોતાના ટ્વિટર પર આ ફિલ્મને લઈને પોતાની ખુશી જાહેર કરી હતી.

આ ઉપરાંત બૈટલ ઓફ સારાગઢી પર ફિલ્મ બનાવી રહ્યા છે જેનું નામ સન ઓફ સરદાર-2 હશે. થોડા સમય પહેલા તેમણે આ ફિલ્મ વિષે વાત કરતાં કહ્યું હતું કે તેમણે આ ફિલ્મ શરૂ કરવા માટે થોડો સમય લાગશે, આ પહેલા કોઈ આ ફિલોમને બનવા માગતા હોય તો તે બનાવી શકે છે, મને કોઈ પરેશાની નથી, હું જે રીતે આ ફિલ્મ ની કહાની બનવા માગું છું તેના માટે મને થોડો સમય લાગશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.