સમાજવાદી પાર્ટી નું રાષ્ટ્રીય અધિવેશન આગ્રામાં ગુરુવારે યોજાયું. તેમાં અખિલેશ પાર્ટીના બિનહરીફ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા. અખિલેશ યાદવે મુલાયમ સિંહને અધિવેશનમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેઓ પહોંચ્યા નહીં. અખિલેશને આગલા 5 વર્ષ સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ અધિવેશનમાં દેશભરમાંથી આશરે 15 હજાર પાર્ટીના ડેલિગેટ્સે હિસ્સો લીધો હતો.અધિવેશનમાં હિસ્સો લેવા માટે અખિલેશ બુધવારે પહોંચ્યા હતા, જ્યારે રામગોપાલ 3 ઓક્ટોબરે જ પહોંચી ગયા હતા. 28 સપ્ટેમ્બરે અખિલેશ યાદવે મુલાયમ સિંહને મળીને આગ્રાના રાષ્ટ્રીય અધિવેશનમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેઓ અધિવેશનમાં પહોંચ્યા નહીં.પહેલા સમાચાર આવ્યા છે કે કારોબારી દોસ્ત પાસે મુલાયમ સિંહે અધિવેશનમાં જવા માટે ચાર્ટર્ડ પ્લેન માંગ્યું હતું.બુધવારે અખિલેશે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું “મેં નેતાજી પાસે આશીર્વાદ માંગ્યા છે, હું ઇચ્છું છું કે તેઓ આગ્રા આવે.”
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વાણી વર્તનમાં હિત શત્રુથી કાળજી લેવી અને આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા!
- કાશીમાં મલ્હોત્રાનાના શોમાં નવી દુલ્હન જેવી લાગી કૃતિ સેનન
- સોનું ઓકતો આ જ્વાળામુખી રોજનું કેટલું સોનું હવમાં ઉડાળે છે જાણો અહી
- ગદ્દી સમુદાયના પરંપરાગત પોશાક લુઆનચડી-ડોરામાં જોવા મળી કંગના રનૌત
- સુતી વખતે પગની નસ ચડી જવાથી અસહ્ય દુખાવો થાય છે…! જાણો તેનું કારણ અને ઘરેલું ઉપાય
- જામનગર : જલારામપાર્કમાં પિતા – પુત્ર સહિત ત્રણ સામે ફરિયાદ : વેપારી સાથે કરોડોની ઠગાઈ
- ગુજરાતમાં હીટ વેવની ચેતવણી, પારો 43 ડિગ્રીને પાર
- રાજકોટ બેઠક પર ચૂંટણી ફરજ બજાવનાર 15388 સરકારી કર્મીઓ પોસ્ટલ બેલેટથી કરશે મતદાન