Abtak Media Google News

આપઘાતનું કારણ અકબંધ: પરિવારમાં શોક

શહેરના આજી જીઆઈડીસીમાં કારખાનામાં સિકયુરીટી ગાર્ડે કોઈ અગમ્ય કારણસર ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગંજીવાડા વિસ્તારમાં મહાકાળી ચોકમાં રહેતા અને આજી જીઆઈડીસીમાં આવેલા યુનાઈડેક મિકેનિકલ નામના કારખાનામાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા નાનજીભાઈ રામજીભાઈ તેરૈયા નામના ૭૨ વર્ષના વિપ્ર વૃધ્ધે કોઈ અગમ્યકારણસર કારખાનામાં લીમડાના ઝાડ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

વૃધ્ધાના મૃત્યુી તેના પરિવારમાં શોક સાથે લાગણી પ્રસરી છે. મૃતકને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે ફરિયાદના આધારે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.