Abtak Media Google News

ગાંધીનગરમાં એહમદ પટેલે કોંગી ધારાસભ્યો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી

રાજ્યસભાની ચૂંટણીમાં જીત બા ગાંધીનગર સરકીટ હાઉસમાં એહમદભાઈ પટેલે બુધવારે બપોરે કોંગ્રેસના ૪૩ ધારાસભ્યો સાથે અલગથી ભોજન સાથેની બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે વધુ એક વાર ચૂંટણીમાં ભાજપની સામ,દામ, દંડ અને ભેદની નીતિ સામે કોંગ્રેસની પડખે અડીખમ ઊભા રહેલાં ૪૩ ધારાસભ્યો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. પટેલે કહ્યું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમારી જીતની જવાબદારી મારી રહેશે. પક્ષમાં તમને અન્યાય ન થાય તે જોવાની જવાબદારી મારી રહેશે. તેમણે કોંગી ધારાસભ્યોને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરાવવા, દિલ્હીમાં તેમના માનમાં ભોજન સમારંભ યોજવા અને તિરુપતિ બાલાજીના દર્શન કરવાની બાધા પૂરી કરાવવાનું વચન આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.