Abtak Media Google News

ભારતીય મુસ્લિમ મહિલા આંદોલનની કેન્દ્રની વિચારણા

ટ્રિપલ તલાકના ઐતિહાસિક નિર્ણયી મુસ્લિમ સ્ત્રીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી ત્યારે હવે સરકાર નિકાહ હલાલા અને બહુપત્નીત્વને ખતમ કરવા સુપ્રિમના દ્વાર ખખડાવશે. આ પ્રથા હેઠળ મુસ્લિમ પુરૂષોને છૂટાછેડા લીધેલી પત્ની સાથે પુન: લગ્ન કરવાની મંજૂરી આપવામાં આવે છે. પરંતુ એ માટે મહિલાએ અન્ય પુરૂષ સાથે લગ્ન કરીને સમય વિતાવવો પડે છે. આ સમયને ‘ઈદત’ કહેવામાં આવે છે.આ ઉપરાંત સરકાર બહુપત્નીત્વને પણ ખતમ કરવા સુપ્રિમના દ્વાર ખટખટાવવાની છે. સુત્રોના જણાવ્યા મુજબ સરકાર નિકાહ હલાલા અને બહુપત્નીત્વ એ બંને પ્રથાને બંધ કરવાના પક્ષમાં છે. નિકાહ હલાલા અને બહુપત્નીત્વને પડકારતી અરજીઓના જવાબમાં અત્યાર સુધી કેન્દ્ર સરકારે કોઈ અરજી દાખલ કરી નથી, પરંતુ હવે આ પ્રથાનો અંત લાવવાનો નિર્ણય લેવાયો છે.સરકારનું માનવું છે કે એનડીએ સરકારે ટ્રિપલ તલાકનો વિરોધ કર્યા બાદ ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ મહિલાઓએ મોટી સંખ્યામાં ભાજપને મત આપ્યા હતા. એટલું જ નહીં એનડીએ સરકારના આ વલણ પછી મહિલાઓને રાહત થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.