Abtak Media Google News

Table of Contents

CNG સહભાગી યોજના અન્વયે વધુ ૧૬૪ CNG સ્ટેશન્સ કાર્યરત કરવાના લેટર ઓફ ઇન્ટેન્ટની અર્પણ વિધિ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

પર્યાવરણ સુરક્ષા સાથે પ્રદૂષણ ઘટાડવા CNG ના ઉપયોગ અને સરળ ઉપલબ્ધિની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની નવતર પહેલ

આગામી દિવસાથેમાં રાજ્યમાં તબક્કાવાર ૯૦૦ CNG સ્ટેશન્સ શરૂ કરવાની નેમ છે

ર૩ વર્ષમાં પ૪ર CNG સ્ટેશન્સ સામે માત્ર પાછલા બે જ વર્ષમાં ૩૮૪ CNG સ્ટેશન્સ ગુજરાતમાં થયા

પર્યાવરણપ્રિય CNG-PNG ના વ્યાપક ઉપયોગ પર રાજ્ય સરકારે ઝોક આપ્યો છે

દેશના કુલ ર૩૦૦ CNG ફિલીંગ સ્ટેશનના સૌથી વધુ ૩૦ ટકા ૬૯૦ સ્ટેશન્સ એકલા ગુજરાતમાં

CNG વાહનચાલકોને હવે CNG માટે લાંબી લાઇનમાં ઊભા રહેવાી મુકિત મળશે

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં પર્યાવરણ સુરક્ષા સાથે પ્રદૂષણ ઘટાડવા અને ગ્રીન એનર્જીનો વ્યાપ વિસ્તારવા સીએનજીની વાહનચાલકોને સરળતાએ સીએનજી ઉપલબ્ધિની નવતર પહેલ કરી છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં રાજ્યમાં સીએનજી સહભાગી યોજના અન્વયે વધુ ૧૬૪ સીએનજી ફિલીંગ સ્ટેશન્સના લેટર ઓફ ઇન્ટેન્ટ ગાંધીનગરી વિડીયો કોન્ફરન્સ દ્વારા અર્પણ કર્યા હતા.

રાજ્ય સરકારના સાહસ ગુજરાત ગેસ કંપની દ્વારા આયોજિત આ ઇ-વિતરણ સમારોહમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં પર્યાવરણ શુદ્ધતા જળવાઇ રહે અને પ્રદૂષણ નિયંત્રણ સાથે વિકાસની ગતિ પણ જારી રહે તેવો રાજ્ય સરકારનો સ્પષ્ટ અભિગમ છે. આ હેતુસર રાજ્યમાં સીએનજી અને પીએનજીનો વધુ ઉપયોગ થાય તેવું સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે કર્યુ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, ગ્લોબલ વોર્મિંગના પડકારોને ઝિલી લઇને તેની સામે ઝિરો ટોલરન્સ સાથે આપણે પર્યાવરણ સુરક્ષાના સંતુલન અને વિકાસની ગતિ જારી રાખવી છે.

ગુજરાતે સીએનજી વાહનોનો વધુ ઉપયોગ થાય અને પ્રદૂષણ અટકે તે માટે પેટ્રોલ-ડિઝલના ઇંધણ વિકલ્પરૂપે સીએનજીને પ્રોત્સાહન આપવાની પહેલ કરીને રાજ્યમાં સીએનજીસ્ટેશનોનો વ્યાપ વિસ્તાર્યો છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ  વિજયભાઇ રૂપાણીએ કર્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં ર૩ વર્ષમાં ૫૪૨ સીએનજી સ્ટેશન હતા તેની સામે પાછલા બે જ વર્ષમાં ૩૮૪ સીએનજી સ્ટેશન્સ આપણે કાર્યરત કર્યા છે.

તેમણે ઉમેર્યુ કે, સીએનજી સહભાગી યોજના શરૂ કરી ત્યારે ૩૦૦ સીએનજી સ્ટેશન શરૂ કરવાના લક્ષ્યાંક સામે આજે લક્ષ્યાંકી પણ વધુ એટલે ૩૮૪ સ્ટેશન્સ રાજ્યમાં થયા છે. સમગ્ર દેશમાં ર૩૦૦ સીએનજી ફિલીંગ સ્ટેશન્સ સામે એકલા ગુજરાતમાં ૬૯૦ એટલે કે કુલ સીએનજી સ્ટેશનના ૩૦ ટકા સીએનજી સ્ટેશન્સ છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં વધુને વધુ સીએનજી સ્ટેશન્સ શરૂ કરીને કયાંય કોઇ વાહનધારકને સીએનજી માટે લાંબી લાઇનમાં ઊભા રહેવું જ ન પડે તેવી પરિસ્થિતીનું આપણે નિર્માણ કરવું છે. મુખ્યમંત્રીએ આગામી દિવસોમાં રાજ્યભરમાં ૯૦૦ સીએનજી સ્ટેશન્સ કાર્યરત કરવાનો લક્ષ્યાંક તબક્કાવાર પાર પાડવાની પણ નેમ વ્યકત કરી હતી. તેમણે ગુજરાત ગેસ કંપની લિમિટેડ અને સાબરમતી ગેસ લિ.ને આ માટેનું ઇન્ફ્રાસ્ટ્રકચર અને કેપેસિટી બિલ્ડીંગ માટે આયોજન ઘડી કાઢવા પણ સૂચન કર્યુ હતું.

મુખ્યમંત્રીએ આગામી દિવાળીના તહેવારોના ઉપલક્ષ્યમાં રાજ્યના સીએનજી વાહનધારકોને સરળતાી સીએનજી ગેસ મળી રહે તેવી અપેક્ષા સાોસા આ નવા સીએનજી ફિલીંગ સ્ટેશન્સ સંચાલકોને પણ સુખ-સમૃદ્ધિની શુભેચ્છાઓ આપી હતી.  વિજયભાઇ રૂપાણીએ એમ પણ જણાવ્યું કે, પર્યાવરણ સુરક્ષા સાથે વિકાસની ગતિ આપણે કોરોના સંક્રમણ કાળમાં પણ જાળવી રાખી છે.

૧૩ હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામો થયા છે. એટલું જ નહિ, ગિરનાર રોપ-વે, સી-પ્લેન, હજીરા-ઘોઘા રો પેક્ષ સેવાઓ, ડિઝીટલ સેવા સેતુ, સાત પગલાં ખેડૂત કલ્યાણના જેવી જનહિત યોજનાઓથી ગુજરાતને ઉત્તમી સર્વોત્તમ બનાવવાની પણ દિશા લીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.