Abtak Media Google News

બહારથી આવતા લોકોને ફાર્મ હાઉસમાં કવોરન્ટાઈન કરી ઘર જેવી સુવિધાઓ આપે છે

ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલમાં બહારના રાજ્યના, જીલ્લા માંથી આવેલ લોકો કોરોના શંકાસ્પદ જણાય તો તેમના સેમ્પલ લેવામાં આવે છે. અને ગીર-સોમનાથ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૨ કેસો કોરોના ગ્રસ્ત એક્ટિવ છે.

તાલાળા તાલુકા નું ચિત્રાવડ ગામ જૂનાગઢ જિલ્લાની બોર્ડર પર આવેલ છે. ૪૨૦૦ ની વસ્તી છે. ચિત્રાવડ ગામના મહિલા સરપંચ મંજુલાબેન મહેતા કહે છે પ્રથમ લોકડાઉનથી સરકાર  ની માર્ગદર્શિકા નો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે. ગામને સેનેટાઈજ કરવામાં આવેલ છે. તેમજ દવાનો છંટકાવ કરવામાં આવેલ.ચિત્રાવડ જેવા નાના ગામના લોકો રોજગારી અર્થે સુરત અમદાવાદ અને મહારાષ્ટ્રમાં વસે છે. અગ્રણી પ્રકાશ મહેતાએ જણાવ્યું હતું કે લોકડાઉન ૩ માં લોકોની અવરજવરની છૂટ મળતા ચિત્રાવડ ગામમાં ૫૦ થી વધુ લોકોએ ગામમાં પ્રવેશ કર્યો છે. બહારથી આવતા લોકોને ગામ બહાર ડાયમંડ ફાર્મ હાઉસ ખાતે બે દિવસ કોરોન્ટાઈન કરવામાં આવે છે. ચિત્રાવડ ના ઈમરાનભાઈ નારેજાએ ડાયમંડ ફાર્મ હાઉસમાં કોઇપણ જાતનો ચાર્જ લીધા વગર બહારથી આવતા લોકોને કોરોન્ટાઈન કરવા તમામ સુવિધા ઉપલબ્ધ કરાવી છે.

આરોગ્ય વિભાગ દ્વારા તેઓની તપાસ થયા બાદ કોઇ લક્ષણ ન જણાય તો ગામમાં પ્રવેશ આપવામાં આવે છે અને ૧૪ દિવસ હોમ કોરોન્ટાઈન કરવામાં આવે છે. મંજુલાબેને જણાવ્યું હતું કે દાતાઓના સહયોગથી ૧૯૦ અનાજ કીટ જરૂરીયાતમંદને વિતરણ કરવામાં આવેલ છે. લોકો ઘરમાંજ રહેવા અને માસ્ક પહેરવા સામાજિક અંતર જાળવવા ગ્રામજનો દ્વારા અમલ કરવામાં આવે છે. જેના પગલે અમારું ગામ કોરોના મુક્ત છે. પુનાથી આવેલ ઈરફાન જારીયા સુરતથી આવેલ બરકત હદવાણીએ જણાવ્યું હતું કે, ફાર્મ હાઉસમાં અમને ઘરથી પણ વિશેષ સુવિધા આપવામાં

આવી છે. લીલાછમ વૃક્ષો સાથે કુદરતી વાતાવરણમાં બે દિવસ ક્યારે પૂરા થયા તેની ખબર જ ન પડી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.