Abtak Media Google News

નેચરલ ગેસ, હાઇડ્રોજન જેવા ઇંધણના સ્થાને સૂર્ય ઉર્જા ઉપર વધુ ઘ્યાન કેન્દ્રિત થશે

ર૧મી સદીના વિશ્ર્વમાં હવે વૈકિલ્પ ઉર્જાની આવશ્યકતા ઉભી થઇ છે. ત્યારે સુર્ય ઉર્જા ક્ષેત્રમાં ભારત વિશ્ર્વનું અગ્રેસર રાષ્ટ્ર બને તેવા ચક્રો ગતિમાન થઇ ગયા હોય તેમ બુધવારે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જાહેરાત કરી હતી કે અમારી કંપનીનું લક્ષ્ય ૨૦૨૫ સુધીમાં વિશ્ર્વની સૌથી મોટી સૂર્ય ઉર્જા કંપની બનવાનું છે. ૨૦૨૫ સુધીમાં ઉભી થનારી આ કંપની ૨૦૩૦ માં સૌથી મોટી પુન: પ્રાપ્ત  વિજળી ઉત્પન્ન  કરતી કંપની બની જશે અમે આ લક્ષ્ય પુરુ કરવા પુરો આત્મવિશ્ર્વાસ ધરાવીએ છીએ.

7537D2F3 12

વિશ્ર્વને કાર્બનના ધુમાડામાંથી મુકત કરવાનું અમારું લક્ષ્ય ઝડપથી આગળ વધી રહ્યું ગૌતમ અદાણીએ તેમની લાઇકહીન પોસ્ટમાં આ વિકાસ થઇ રહ્યો છે. તેની સામે વૈકિલ્પક ઉર્જા પ્રાપ્તિનું કામ ધીમુ ચાલી રહ્યું છે. પરંતુ ભારત વિશ્ર્વના સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરનારા ૧રર દેશોમાં આ ક્ષેત્રમાં કામ કરનાર અગ્રેસર દેશ બની રહ્યો છે. છેલ્લા થોડા વર્ષોમાં ભારતે ખુબ રસ દાખવીને સુર્ય ઉર્જા ના ઉપયોગ ક્ષેત્રે હરણફાળ ભરી છે. અને ભારતના પ્રયાસો ગ્લોબલ વોમિંગ સામે ઝુઝમતા વિશ્ર્વ માટે આશાનું કિરણ બનશે. કલામેટ ચેઇન્જના પડકારો પર વિજય મેળવાનો ૨૦૨૩ લક્ષ્ય ભારત વહેલું પુરુ કરી દેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૯માં પેરિસ ખાતે યોજાયેલી પર્યાવરણના પડકારોની બેઠકમાં જાહેરાત કરી હતી કે ભારત બીન કાર્બનિક ઇંધણથી ૪૫૦ ગીગાવોટ વિજળી ઉત્પન્ન કરતો દેશ બની રહેશે.વડાપ્રધાનનું વચન સિઘ્ધ કરવા અમે નિમિત બનવા જઇ રહયા છીએ. એનું અમને ગૌરવ છે તેમ અદાણી જણાવ્યું હતું.

ભારતમાં સૂર્ય ઉર્જા થતી ૨૪ + ૭ કલાક વિજળી આપવાનું લક્ષ્ય રાજવામાં આવ્યું છે. અત્યારે નેચરલ ગેસ, હાઇડ્રોજન જેવા ઇંધણ નો ઉપયોગ થાય છે. આગામી વર્ષોમાં આ તમામ જરુરીયાતો સૂર્ય ઉર્જાથી પુરી કરવામાં આવશે ૨૦૧૯ ના વર્ષમાં ભારતે સૂર્ય ઉર્જાના વપરાશકાર દેશોમાં છઠ્ઠો ક્રમ મેળવ્યો છે. ૨૦૨૦ માં અમારી કંપની દ્વારા ભારત પ્રથમ ક્રમે આપવશે ૨૦૨૧ સુધીમાં ૨.૫ ગીગાવોટનું ઉત્પદાન શરુ થશે અને ૨.૯ સુધી લઇ જવાશે ૨૦૨૫ માં ૧૮ ગીગાવોટનું ઉત્પાદન શરુ કરવા માટે ૭૦ ટકા જેટલું બજેટ કેપેક્ષ કલીન એનર્જી માટે ઉભુ કરાશે.અદાણી ગ્રુપ ૧.૩ ગીગાવોટ જેટલા પાવર માટે મુંદ્રામાં જ આર્ટસોલારસેલ બનાવશે. કંપની સાથે સાથે વાતચીત કરી રહી છે. અમારું સાહસ ૧૦૦ ટકા ગ્રીન એનર્જી આધારીત રસાયણના ઉત્૫ાદન અને ઉર્જા માટે કામ કરી રહ્યા છે. ૨૦૨૫ સુધીમાં અદાણી જુથની કંપની વિશ્ર્વની સૌથી મોટી સુર્ય ઉજા માંથી વિદ્યુત ઉત્પાદન કરતી કંપની બની જશે. તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.