Abtak Media Google News

ગુજરાત સરકારના સહયોગથી ‘શિક્ષણ થકી સશકિતકરણ કાર્યશિબિર’ને જબ્બર પ્રતિસાદ

મહિલા સામાખ્ય ગુજરાત દ્વારા શિક્ષણથકી સશકિતકરણ કાર્ય શિબિર રાજકોટમાં પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.કરણ થઈ શકે છે. મહિલાઓનાં હક અધિકાર માટે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સામખ્ય ખૂબ સક્રિય રહી છે. ગ્રામ્યકક્ષાએ અક્ષરજ્ઞાન આપવાનું તેમજ મહિલાઓનાં આરોગ્યના પ્રશ્ર્નોના નિરાકરણ માટે મહિલા સામખ્ય દ્વારા થઈ રહ્યા છે. તે અભિનંદનને પાત્ર છે. મહિલાઓનાં પ્રશ્ર્નોનારી અદાલતો સુધી લઈ જવાનું કામ પણ મહિલા સામખ્ય દ્વારા થઈ રહ્યા છે. મહિલાઓની કોઈ પણ સમસ્યા હશે તો તેના નિરાકરણ માટે રાજય સરકાર સતત કાર્યરત રહેશે. મંત્રીએ પોતાના પશુપાલન અને પાણી પૂરવઠાના વિભાગનીક યોજનાનો લાભ લેવા જણાવ્યું હતુ.

Mahila Sshaktikaran 1

આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે કહ્યુંતુ કે મહિલાઓની ક્ષમતા બહાર આવે તે માટે ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહિલાઓને ૫૦ ટકા અનામતનાં અધિકારો આપ્યા ગ્રામીણ છેવાડાના વિસ્તારના લોકોને શિક્ષીત કરવાનું કામ મહિલા સામખ્ય કરી રહી છે. તે અભિનંદનને પાત્ર છે.

આ પ્રસંગે મંત્રી એ ફેડરેશનના મહિલા પ્રમુખોને સન્માનપત્ર એનાયત કર્યા હતા આ કાર્યક્રમમાં મહિલા સામાખ્યના ઈલાબેન ગોસાઈ, હર્ષાબેન ભટ્ટ, રમીલાબેન મકવાણા, ડી.આર.ડી.એના સરોજબેન મારડીયા સ્વૈચ્છીક સંસ્થાના મહિલા અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં રાજકોટ જિલ્લાની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.