Abtak Media Google News

એસ્ટીમેન્ટ પ્રમાણે પાયાનું ખોદકામ કરવા આરટીઆઈ એકિટવીસ્ટ કમિટીની રજુઆત

ઉના તાલુકાના કાજરડી ગામે હાલ મનરેગાની ગ્રાન્ટમાંથી આંગણવાડીનું કામ ચાલુ છે જેમાં પાયામાંથી મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જે પાયામાં આરસીસી કરવાનું હોય છે તેમાં આરસીસી કરવામાં આવેલ નથી અને ત્રણ મીટર પાયાનું ખોદકામ કરવાનું એસ્ટીમેન્ટમાં દર્શાવેલ છે.

ત્યાં એક ફુટનો પાયો કરવામાં આવેલ છે જે ફોટોગ્રાફીમાં દેખાય આવે છે. આરટીઆઈ કમિટીની ફરિયાદ છે કે આ આંણવાડીની તપાસ કરવામાં આવે અને તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવી અને આ આંગણવાડી રદ કરી બીલ ના કરવા અને ફરીથી એસ્ટીમેન્ટ મુજબ કામ થાય તેવી અપેક્ષા છે તો તાત્કાલિક ધોરણે તપાસ કરવા આરટીઆઈ એકિટવીસ્ટ કમિટીના પ્રમુખ હર્ષદ બાંભણીયા દ્વારા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.