Abtak Media Google News

શહેરમાં તમામ ૪.૫૦ લાખ મિલકતોની કાર્પેટ એરીયા મુજબ આકારણીની   કામગીરી પૂર્ણ: વેરીફીકેશનની કામગીરી પણ ચાર માસમાં આટોપી લેવાશે: વાપ્કોસ એજન્સીને કરવા નોટિસ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી વર્ષી કાર્પેટ એરીયા મુજબ મિલકત વેરાની અમલવારી કરવામાં આવનાર છે. જે અંતર્ગત શહેરમાં તમામ ૪.૫૦ લાખ મિલકતોની આકારણીની કામગીરી તાજેતરમાં પૂર્ણ ઈ ગઈ છે. દરમિયાન આકારણીની કામગીરીમાં ધાંધીયા કરનાર વાપ્કોસ એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે અને ૫ વોર્ડમાં ફરીી આકારણી કરી ડેટા આપવા તાકીદ કરાઈ છે.

આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ કાર્પેટ એરીયા મુજબ મિલકત વેરાની અમલવારી વર્ષ ૨૦૧૮-૧૯ી કરવામાં આવનાર છે. જે અંતર્ગત છેલ્લા દોઢ વર્ષી શહેરમાં મિલકતોની આકારણીની કામગીરી અલગ અલગ એજન્સીઓ મારફતે ચાલી રહી છે. મહાપાલિકાના ચોપડે હાલ ૩.૮૭ લાખ મિલકતો નોંધાયેલી છે. દરમિયાન કાર્પેટ એરીયા મુજબ આકારણીમાં ૪.૫૦ લાખ જેટલી મિલકતો મળી આવી છે. ૬૩ હજાર મિલકતોનો વધારો યો છે. જેમાંી ૬૦ ટકાી વધુ મિલકત કોઠારીયા અને વાવડીની હોવાનું જાણવા મળી રહ્યું છે. જયારે રાજકોટ શહેરમાં અંદાજે ૨૫ હજાર જેટલી મિલકતોનો વધારો યો હોવાનો અંદાજ છે. ૪.૫૦ લાખ મિલકતો પૈકી ૨ લાખી વધુ એટલે કે ૫૦ ટકા જેટલી મિલકતની ક્રોષ વેરીફીકેશનની કામગીરી પણ હાલ પૂર્ણ ઈ ગઈ છે. આગામી ૪ માસમાં વેરીફીકેશનની કામગીરી આટોપી લેવામાં આવશે. કાર્પેટ એરીયા મુજબ મિલકતની આકારણી કરવા માટે મહાપાલિકા દ્વારા વાપ્કોસ એજન્સીને નિયુકત કરવામાં આવી હતી. આ એજન્સીએ શહેરના વોર્ડ નં.૨,૩,૪,૯ અને ૧૪માં આકારણીની કામગીરીમાં ધાંધીયા કર્યા હતા અને મનફાવે તેમ આકારણી કરી લીધા હોવાનું ધ્યાને આવતા તાજેતરમાં ટેકસ બ્રાન્ચ દ્વારા એજન્સીને નોટિસ ફટકારવામાં આવી હતી. તમામ વોર્ડમાં આકારણીનો કરવા ઓર્ડર અપાયો છે અને ડેટા સુધારવા તાકીદ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.