Abtak Media Google News

મોરબીના લખધીરપુર રોડ પર આવેલા સીરામીક કારખાનામાં લોડર હડફેટે આવી જતા યુવાનનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના લખધીરપુર રોડ પર આવેલ હોલીસ વીટ્રીફાઇડ સીરામીકના માટી ખાતામાં કામ કરતા મૂળ બિહારના વતની શામજીભાઈ જેઠાભાઇ પ્રજ્ઞારાવ (ઉ.વ.૨૦) કારખાનામાં ચાલતા જીજે ૩૬ એસ ૧૩૯૩ નંબરના લોડર હડફેટે ચડી જતા તેનું મોત નિપજયુ હતું.

બનાવ સંદર્ભે મૃતકના સગા મુકેશભાઈ માજીએ લોડર ચાલક કાલુ સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.