Abtak Media Google News

ભાજપનો આજે 40મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યકર્તાઓને સંબોધિત કર્યા છે. તેમણે કહ્યું કે કોરોનાવાઈરસ સામેની લડાઈમાં હારવાનું કે થાકવાનું નથી. આ લાંબી લડાઈમાં વિજય પ્રાપ્ત કરવાનો છે. તેમણે ટ્વિટર પર તમામ કાર્યકર્તાઓને પાર્ટીના સ્થાપના દિવસે શુભેચ્છા પાઠવી છે.

તેમણે એ પણ કહ્યું કે કાર્યકર્તા હાલના કઠણ સમયે જરૂરિયાતમંદોની મદદ કરે અને આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે. ભાજની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ થઈ હતી.

વડાપ્રધાને સોમવારે સવારે ટ્વિટ કર્યું. તેમણે કહ્યું ભાજપનો સ્થાપના દિવસ એવા સમયે આવ્યો છે, જ્યારે દેશ કોવિડ-19 સામે લડી રહ્યો છે. હું કાર્યકર્તાઓને આગ્રહ કરું છું કે તે પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડાજીના આદેશનું પાલન કરે અને સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે જરૂરિયાતમંદોની મદદ કરે. એક થઈને ભારતને કોવિડ-19થી મુક્ત કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.