Abtak Media Google News

૨૫ ઓકટોબરથી ટિકિટનું બુકિંગ શરૂ થશે

પશ્ર્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે જામનગરથી તિરુનેલવેલી વચ્ચે દ્વિ સાપ્તાહિક વિશેષ ટ્રેન ૬ નવેમ્બર ૨૦૨૦થી આગળની સુચના સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંડળ રેલ પ્રબંધક દિપક કુમાર ઝાના જણાવ્યા મુજબ આ વિશેષ ટ્રેનની વિગતો અનુસાર જામનગર-તિરુનેલવેલી વિશેષ ટ્રેન ૬ નવેમ્બર ૨૦૨૦થી દર શુક્રવારે અને શનિવારે રાત્રે ૯:૦૦ વાગ્યે જામનગરથી ઉપડશે. તે જ દિવસે રાત્રે ૧૦:૩૧ વાગ્યે રાજકોટ આવશે અને તિરુનેલવેલી ત્રીજા દિવસે રાત્રે ૧૦:૧૦ વાગ્યે પહોંચશે.

આવી જ રીતે પરત મુસાફરી દરમિયાન ટ્રેન નં.૦૯૫૭૭ તિરુનેલવેલી-જામનગર વિશેષ ટ્રેન ૯ નવેમ્બર ૨૦૨૦થી પ્રત્યેક સોમવાર તથા મંગળવારે તિરુનેલવેલીથી સવારે ૭:૩૫ વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે ૩:૩૬ વાગ્યે રાજકોટ અને સવારે ૫:૧૫ વાગ્યે જામનગર પહોંચશે. બંને દિશામાં પ્રવાસ દરમિયાન આ ટ્રેન રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, અંકલેશ્ર્વર, સુરત, વાપી, બોઈસર, વસઈ રોડ, પનવેલ, રત્નાગિરિ, મડગાંવ, કારવાર, ઉડુપી, મેંગલોર, કસારગોડ, કન્નુર, કોઝિકોડ, શોરનુર, થ્રિસુર, અલુવા, અર્નાકુલમ, અલેપ્લી, કથાનકુલમ તિરુવનંતપુરમ, પારશાલા, નાગરકોવિલ ટાઉન અને વલ્લીય સ્ટેશનો પર રોકાશે. વિશેષ ટ્રેનમાં સેક્ધડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેક્ધડ કલાસ સીટીંગ કોચ હશે. આ ટ્રેન સંપૂર્ણ રીતે રિઝર્વડ રહેશે. આ ટ્રેન સંખ્યા ૦૯૫૭૮નું રિઝર્વેશન નામાંકિત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઈટ પરથી ૨૫ ઓકટોબરથી શરૂ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.