Abtak Media Google News

જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના લોકોને રાહત: લાઠી-બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની સફળ રજૂઆત

ભાવનગર જિલ્લાના ધોળા ક્રોસિંગપર રાજ્ય સરકાર દ્વારા ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી આપવામાં આવતા સૌરાષ્ટ્રના પાંચ જેટલા જીલ્લાના લોકોને અમદાવાદ ગાંધીનગર અને વલભીપુર જવા માટે આગામી સમયમાં મોટી રાહત મળશે રાજ્ય સરકાર દ્વારા લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની સતત રજુઆતના કારણે મંજુર કરી વર્ક ઓડેર ઈશ્યુ અમદાવાદ જતા લોકોમે મોટી રાહત મળી છે.

સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ, ગઢડા, ગિરસોમનાથ તેમજ જૂનાગઢ જિલ્લાના અમુક તાલુકાના  વાહન ચાલકોને અમદાવાદ ગાંધીનગર અને વલભીપુર જતા હોય છે જેઓને અહીંનું ધોળા રેલવે ક્રોસિંગ પરનો ટ્રાફિક ભારે અડચણરૂપ બનતો હોય જેના કારણે સમય પણ બરબાદ થાઈ છે. અહીં એક લાંબો ઓવરબ્રિજ કાઢવા માટે વર્ષોથી લોકો અને આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી રહી હતી. પણ રેલવે વિભાગ અને રાજ્ય સરકારના સંકલનના અભાવે કામગીરી ભારે વિલંબ થતો હતો

ત્યારે બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ૨૦૧૭માં ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવતા તેઓ દ્વારા આ ધોળા રેલ્વે ક્રોસિંગ પર ઓવરબ્રિજની બનાવવાની સતત રાજ્ય સરકારમાં અને રેલવે વિભાગમાં રજુઆત કરતા તેનું સુખદ પરીણામ મળતા આજે રાજ્ય સરકાર દ્વારા અહીં ધોળા રેલવે ક્રોસિંગ પર રૂપિયા ૨૬ કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની વહીવટી મજૂરી આપી વર્ક ઓડેર ઈશ્યુ કરતા અહીંથી પસાર થતા સૌરાષ્ટ્રના મોટાભાગના રાહદારીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.

આ બાબતે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે ધોળ રેલવે ફાટકપર એક ઓવરબ્રિજની તાતી જરૂર હતી ઘણા સમયથી અમારી રજુઆત હતી કારણકે અહીં અમદાવાદ જવા માટે અહીં ફાટક પાસે ખુબજ મુશ્કેલીઓ પડતી હતી. પણ હવે ઓવરબ્રિજ બન્યા બાદ મોટી ટ્રાફિક સમસ્યાઓમાંથી લોકોને રાહત મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.