Abtak Media Google News

સુરેન્દ્રનગર નિવાસી અધિક કલેકટર એન.ડી.ઝાલાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી.

આ બેઠકમાં સરકારી બાકી લેણાની વસુલાત ગંભીરતાથી લઈ ખાસઝૂંબેશ ઉપાડી વસુલાત પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાંકર્મચારીઓના બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ,બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા, લોકોની અરજીઓનોસમય મર્યાદામાં નિકાલ તેમજ એ.જી. કચેરીનાબાકી પારાઓનો નિકાલ કરવા, આર.ટી.આઈ.ની અરજીઓ તકેદારી આયોગને લગતી અરજીઓનો નિકાલ સહિતઅનેકવિધ મુદ્દાઓની ચર્ચા કરી.

 ઝાલાએ સરકારી લેણાની વસુલાત ઝડપી બનાવવા પણ સૂચના આપી હતી. આ બેઠકમાં ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ રોડ- રસ્તા,પાક વિમા, મનરેગા હેઠળ થયેલ કામો વગેરે પ્રશ્નોનો  રજુ કર્યા હતા.  ઝાલાએ જે તે વિભાગના અધિકારીઓને પ્રશ્નોનાનિકાલ કરવાની સૂચના આપી હતી. 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.