Abtak Media Google News

પુત્ર પર હુમલો કરનારને ઠપકો દેવા જતા છરીના ત્રણ ઘા ઝીંકી દીધા

માળીયામાં જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં પુત્રને માર મારનાર શખ્સોને સમજાવવા ગયેલી માતાને છરીના ત્રણ ઘાઝીંકી દેવાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ફરિયાદી હસીનાબેન અબ્દુલભાઈ મોવરનો પુત્ર વિસ્તારમાં આવેલ રાજાભાઈની દુકાન પાસે બેઠો હતો ત્યારે વલીમામદ કાદર મીયાણા નામનો શખ્સ આવીને ફરિયાદીના પુત્રને કોઈપણ કારણ વગર મારમારવા લાગ્યો હતો બાદમાં ફરિયાદીની માતા આરોપીને સમજાવવા જતા અન્ય બે શખ્સોએ ઈરફાન ઓસમાણ શખ્સોએ અને અજગર હુસેનભાઈએ ફરિયાદીને પકડી રાખક્ષ હતી અને વલીમામદે મહિલાને છરીના ત્રણ ઘા ઝીંકીદેતા મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જે બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.