Abtak Media Google News

કર્તવ્યનિષ્ઠ પ્રમુખ અને મંત્રીનું સત્સંગ સેવક દ્વારા સન્માન

શ્રી દેવઉત્સવ મંડળ રાજકોટની સાધારણ સભા દેવ ઉત્સવ મંડળના કર્તવ્યનિષ્ઠ, સેવાભાવી પ્રમુખ જીતુભાઇ રાધનપુરાના પ્રમુખ સ્થાને તેમજ સ્વામીનારાયણ મુખ્ય મંદીર ભુપેન્દ્ર રોડ રાજકોટના વિદ્યમાન અને યુવાન મહંત સ્વામી શાસ્ત્રી રાધારમણદાસજી તથા બાલાજી હનુમાનજી મંદીર ભુપેન્દ્ર રોડ રાજકોટના વિદ્યમાન યુવાન વિનમ્રઅને વિવેકી મહંત સ્વામી વિવેકસાગરદાસજી સ્વામીની ઉ૫સ્થિતિ સાથે સ્વામીનારાયણ મંદીર બેડી નાકાના વિશાળ સભા મંડપમાં રાખવામાં આવી હતી.

દેવ ઉત્સવ મંડળ રાજકોટ દ્વારા મંદીરના સેવાભાવી સભ્યો તથા સેવાભાવી કાર્યકરો તથા છપ્પન ભોગમાં સેવા આપનાર સેવાભાવી સભ્યોનું મહંત સ્વામી શ્રી શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામીના વરદ હસ્તે શાલ ઓઢાડી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. બેડી નાકા સ્વામીનારાયણ મંદીરની સેવા ભાવી બહેનોએ છપ્પનભોગમાં ખુબ સેવા આપી હતી. સાંખ્યા યોગી મંગળાબા દ્વારા શાલ ઓઢાડી બહેનોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

સતત ત્રીજી વખત પ્રમુખ તરીકે બીન હરીફ ચુંટાયેલા કર્તનિષ્ઠ જીતુભાઇ રાધનપુરા અને મંત્રી તરીકે ત્રીજી વખત બીન હરીફ ચુંટાયેલા સેવાભાવી મંત્રી  ભરતભાઇ અંબાસાણાનું સત્સંગી સેવક પત્રકાર અને જ્ઞાતિ મંત્રી મનસુખભાઇ પરમાર દ્વારા હાર પહેરાવી શાલ ઓઢાડી, મૂર્તિ અર્પણ કરી ભગવાનનો પ્રસાદ આપી ભવ્યાતિ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. દેવઉત્સવ મંડળના તમામ માન. સભ્યોઓએ તાલીઓના ગડગડાટથી આ પ્રસંગને વધાવી લીધો હતો.

દેવઉત્સવ મંડળની કારોબારીના તમામ સભ્યો સર્વાનુમતે બીન હરીફ ચુંટાયેલા જાહેર થતાં સૌએ હર્ષ વ્યકત કર્યો હતો. સભાનું શ્રેષ્ઠ સંચાલન એનાઉન્સમેન્ટ અને આભાર દર્શન દેવઉત્સવ મંડળના કર્તવ્યનિષ્ઠ અને સેવાભાવી પ્રમુખ જીતુભાઇ રાધનપુરાએ કરી સૌના હેત અને હૈયા જીતી લીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.