Abtak Media Google News

સુરતમાં સર્જાયેલી દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ અને ટ્યુશન કલાસીસમાં ફાયર એનઓસી ઝુંબેશ ચાલી હતી જોકે બાળકોના ટ્રાન્સપોર્ટશન મામલે કોઈ કદમો ઉઠાવાયા ના હોય તેવું લાગી રહ્યું છે કારણકે આજે હાઈવે પરથી જઈ રહેલી ખાનગી સ્કૂલની વેનમાં આગ લાગી હતી

મોરબી રાજકોટ હાઈવે પર અજંતા નજીક એક સ્કૂલ વેનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જોકે ડ્રાઈવરે સમયસુચકતા વાપરીને વેનમાં સવાર તમામ 10 બાળકોને સમયસર વાહનમાંથી નીચે ઉતારી લીધા હતા જેથી કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ વેનમાં લાગેલી આગને પગલે વાલીઓના જીવ પડીકે બંધાઈ રહ્યા છે તેમજ મોરબી પંથકની વાત કરીએ તો શાળાઓમાં અસંખ્ય વેનમાં હજારો બાળકો શાળાએ જતા હોય છે ત્યારે આવી દુર્ઘટના રોકવા તંત્ર ક્યારે કદમ ઉઠાવશે તેવા સવાલો પણ ઉપસ્થિત થયા છે ટ્યુશન કલાસીસ અને શાળાઓને ફાયર એનઓસીના રાગ આલાપતી સરકારના આરટીઓ વિભાગ દ્વારા વાહનોના ચેકિંગ કરવામાં આવશે કે કેમ તેવું પણ વાલીઓ પૂછી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.