Abtak Media Google News

ભારત એક સંસ્કૃતિ અને પરંપરાને અનુસરતો દેશ છે. જ્યાં જાતિય સંબંધો અંગે ખુલેઆમ બોલતા વાત કરતાં કે પછી ચર્ચા કરતાં પણ લોકોમાં ખચકાટ અનુભવાય છે ત્યારે બાળપણથી જ એ બાબતેનાં આવેગને દબાવતા અને સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. ત્યારે જો આ આવેગને નાનપણથી જ દબાવના તેને આગળ જાતા ખૂબ વરવું સ્વરુ આવે છે અને એવી સ્થિતિ આવી છે કે ભારતમાં કામવાસના જેવી બીમારી સૌથી વધુ જોવા મળી છે.

કામવાસનાના લક્ષણો :

દરેક મહિલાએ તેની આજુબાજુના પુરુષોના હાવભાવ પર નજર રાખવી જોઇએ. કોઇ વ્યક્તિ તમને ભીડવારી જગ્યાએ અડકવાની કોશિશ કરે તો તે કામવાસાનાનો શિકાર છે તેવી વ્યક્તિ તેના માટે સમાજ માટે હાનિકારક રહે છે.

– નાની નાની બાળકીઓ પર બળાત્કાર થઇ રહ્યા છે. જે તેના જ કોઇ નજીકનાં સગા સંબંધી દ્વારા કરવામાં આવ્યો હોય છે જે કામવાસનાનું ખૂબ જ વરવું સ્વ‚પ છે.

– આમ જોઇએ તો હવે કામવાસનામાં એક વિકાર બનતો જાય છે જેમાં વ્યક્તિને સારા નરસાનું ભાન જ નથી રહેતું. તેનો તો બસ તેની કામેચ્છાની ભૂખ જ દેખાય છે.

– એવું નથી કે માત્ર પુરુષોમાં જ આ બિમારી છે. સ્ત્રીઓ પણ આ બિમારીઓ શિકાર હોય છે. જ્યાં સ્ત્રીએ તેની આ ઇચ્છા કે ભુખને દબાવીને રાખે છે. અને પુરુષ તેની આ હવસને ગમે ત્યાં પુરી કરે છે સ્ત્રીઓ તેનાં સંસ્કારોના બંધનમાં રહે છે.

– આ રીતે ભારતમાં કામ વાસના એક મહામારીની જેમ ફેલાય છે. દેશમાં વધતા બળાત્કારનાં કિસ્સાનું કારણ પણ હવસ, કામ વાસના છે જ્યાં માણસ પોતાની હવસની ભૂખ સંતોષવા કોઇ પણ હદ પાર કરવા તૈયાર થઇ જાય છે. અને ખાસ તો તેનું તેને ભાન પણ નથી રહેતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.