Abtak Media Google News

ગોંડલ તાલુકાના રાણસિકી ગામ ખાતે ગુજરાતની વિરાટ જનશકિતનો પુ‚ષાર્થ યજ્ઞ સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૧૮નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારી ગણ, સિંચાઈ મંત્રી અને ચાર તાલુકાના તમામ ગામોનાં સરપંચ તેમજ બહોળી સંખ્યામાં નાગરીકો હાજર રહ્યા હતા.

આ યોજનાના ઉદઘાટન કાર્યક્રમમાં માતુશ્રી એલ.જી. ધોળકીયા સ્કુલના શિક્ષીકા બહેનો દ્વારા આજ ગગનથી ચંદન ઢોળાય રે. અર્વાચીન ગરબો રજૂ કયો હતો. ગરબાની સુંદર રજૂઆત બદલ શાળાના મેનેજીગ ટ્રસ્ટી જીતુભાઈ ધોળકીયા અને કૃષ્ણકાંતભાઈ ધોળકીયાએ શાળાના શિક્ષકોની ટીમને ધન્યવાદ આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.