દ્વારકાધીશ જગતમંદિરમાં દર વર્ષની જેમ ધનુર્માસ દર્શનમનોરથના કાર્યક્રમો યોજવામાં આવનાર છે. માગસર મહિનામાં સૂર્ય ધન રાશિનો રહેતો હોવાથી આ માસને ધનુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. શ્રી દ્વારકાધીશ જગતમંદિરના વારાદાર પુજારીની યાદી અનુસાર ધનુર્માસ ના ઉત્સવોને અનુલક્ષીને શ્રી દ્વારકાનાથજીના દર્શનના સમયમાં ફેરફાર થનાર હોવાનું મંદિરના વહિવટદારની યાદીમાં જણાવાયું છે. જે મુજબ તા.૧૮/૧૨/૨૦૧૮ને મંગળવારના રોજ મંગલાઆરતી સવારે ૫:૩૦ વાગ્યે, અનોસર (મંદિર બંધ) સવારે ૧૦:૩૦ કલાકે, તેમજ સાંજનો ક્રમ નિત્યક્રમમુજબનો રહેશે. તા.૨૦/૧૨/૨૦૧૮ને ગુરુવારના રોજ મંગલા આરતીસવારે ૫:૩૦ વાગ્યે, અનોસર (મંદિર બંધ) સવારે ૧૦:૩૦ કલાકે તેમજ સાંજનો ક્રમ નિત્યક્રમમુજબ રહેશે. તા.૩/૧/૨૦૧૯ને ગુરુવારના રોજ મંગલા આરતીસવારે ૫:૩૦ વાગ્યે, અનોસર (મંદિર બંધ) સવારે ૧૦:૩૦ કલાકે, સાંજનો ક્રમ નિત્યક્રમમુજબ રહેનાર છે. આ ઉપરાંત ધનુર્માસનાઅંતિમ દિન એટલે કે તા.૧૦/૧/૨૦૧૯ને ગુરુવારના રોજ મંગલા આરતી સવારે ૫:૩૦ વાગ્યે, અનોસર (મંદિર બંધ) સવારે ૧૦:૩૦ કલાકે તેમજ સાંજનો ક્રમ નિત્યક્રમમુજબ રહેનાર છે.
Trending
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો
- રાજકોટ : રૈયાધાર પાસે ગેસની લાઈનમાં ભંગાણ:અનેક ઘરોમાં ચૂલા ન સળગ્યા