શહેરના મઘ્યમાં આવેલી અને અવાર નવાર સેવા કાર્યોથી લોક માનસમાં ઉચેરું સ્થાન ધરાવનાર શાળા એટલે ચાણકય વિઘા મંદિર, કરણસિંહજી મેઇન રોડ, ખાતે કોરોના વોરિયર્સ એટલે કે પોલીસ, સફાઇ કામદાર અને ડોકટર જેવા વ્યવસાય કે સેવામાં જોડાયેલા શાળાના વાલીઓનું શિલ્ડ અને ભેટપી સ્મૃતિ ચિહન આપી સન્માન સમારંભનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સીંગ અને સેનીટાઇઝર, માસ્ક જેવા નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાલીઓએ પણ શાળાની આ કામગીરીને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમ શાળાના મેનેજીંગ ટ્રસ્ટ પ્રવીણભાઇ પાણી, નિલેશભાઇ દેસાઇ, ઓજસભાઇ ખોખાણી અને આચાર્ય હર્ષિદાબેન આરદેશણા, રશ્મિબેન બગથરિયા અને શિક્ષકોની સમુહ મહેનત સાથે પૂર્ણ થયો હતો.
Trending
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ
- મીડિયા કરતા પોલીસ કર્મીઓમાં કાર્યસંતોષ અને કાર્ય સામેલગીરીનું પ્રમાણ વધુ: સર્વે