Abtak Media Google News

ગુજરાતના સિંહોને અન્ય રાજ્યોમાં લઈ જવા માટે છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યો વચ્ચે કાયદાકીય આંટી સર્જાઈ છે. હાલ ગુજરાતમાંથી 8 સિંહોને ઉત્તરપ્રદેશમાં મોકલવા માટેની બાબતને લીલીઝંડી મળી ગઈ છે. જુનાગઢના સક્કરબાગ ઝૂમાંથી ઉત્તરપ્રદેશમાં નવા બનતા પાર્કમાં ગુજરાતના આ 8 સિંહોને રાખવામાં આવશે. UPના ગોરખપુરમાં નવા બની રહેલા ઝૂમાં સૌરાષ્ટ્રની શાન ગણતા ગીરના 8 સિંહોને મોકલવામાં આવશે, જે માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી છે. 8 સિંહો માંથી બે નર અને છ સિંહણનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં આ સિંહોને ગોરખપુર વિમાન મારફતે લઈ જવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.