Abtak Media Google News

રમજાનની ૨૩મી લયલતુલ કદરની રાત જાગીને વહેલી સવાર સુધી મસ્જીદમાં ઈબાદત કરીને દુઆઓ કરાશે

હીઝ હોલીનેશ ડો.સૈયદના વ મૌલાના અબુ જાઅફરૂસ્સાદીક આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ) વિશ્વભરના લાખો દાઉદી વ્હોરા સમાજના ૫૩માં દાઈ અલ મુત્લક છે. તેમનું આધ્યાત્મિકતા, શ્રદ્ધા, ભકિત, ભાઈચારો, સર્વધર્મ સમભાવની ભાવના, માનવ જાતની સેવા, ભલાઈના કામો કરવાની અદભુત ભાવના ભરેલ પડી છે. ૫૨માં દાઈ અલ મુત્લક આપના બાવાજી સાહેબ (પિતાશ્રી સ્વ.) ડો.સૈયદના વ મૌલાના અબુલ કાઈદ જાહેર મોહંમદ બુરહાનુદીન સાહેબ (રી.અ)ના સંપૂર્ણ કાર્યો આપના વફાત થયા બાદ સંભાળેલ છે. તેમના જગતમાં સેવા ભલાઈ માર્ગદર્શનથી દાઉદી વ્હોરા કોમ શિસ્ત અને સારા કાર્ય માટે શાંતિ વેપારી કોમ તરીકે જાણીતી બની છે.

કાલે ૨૩મી રમજાનની લયલતુલ કદરની રાત (જાગરણ) છે. હી.૧૩૬૫ મી.તા.૨૩મી રમજાન લયલતુલ કદરની મુબારક રાતમાં સુરતમાં શહેરમાં હીઝ હોલીનેશ ડો.સૈયદના વ મૌલાના અબુ જાઅફરૂસ્સાદીક આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.)નો જન્મ (વિલાદત) થયો હતો. આ ૭૫મી મીલાદ મુબારક (જન્મ દિવસ)ની રાત અને લયલતુલ કદરની મોટી જાગરણ રાત બન્ને સાથે આવે છે. આ રાતમાં સવાર સુધી મસ્જીદમાં ઈબાદત કરશે સાથે દેશની પ્રગતી ભાઈચારો તેમજ વિશ્ર્વશાંતી માટે દુઆ કરશે અને વિશ્વભરના લાખો દાઉદી વ્હોરા ૫૩માં દાઈ અલ મુત્લક હોઝ હોલીનેશ ડો.સૈયદના વ મૌલાના અબુ જાઅફરૂસ્સાદીક આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.)ના હકમાં ખાસ દુઆ કરશે અને મુબારક બાદી પેશ કરશે.

તાજેતરમાં સૌરાષ્ટ્રમાં પાલીતાણા, સાવરકુંડલા, ધોધા, રાજુલા, શીહોર, ગારીયાધાર પધારેલ હતા અને ભાવનગર અને મહુવામાં મસ્જીદનું ઉદઘાટન કરેલ હતું. ઉજજેન, અમદાવાદ, દેનમાલ તેમજ સીંગાપુર, શ્રીલંકા, કરાચી, દુબઈ, દારેસ્સલામ વગેરે દેશોમાં પધારેલ હતા. તાજેતરમાં સુરત શહેરમાં ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હીઝ હોલીનેશ ડો.સૈયદના વ મૌલાના આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.) ખાસ શુભેચ્છા મુલાકાતે આવેલ હતા તથા જામેઅ-તુસ સૈફીયાહ યુનિવર્સિટીમાં ચાલતી પરીક્ષા નિહાળેલ હતી. મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું.

ડો.સૈયદના વ મૌલાના આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.) વિશ્વભરના દરેકે દરેક દાઉદી વ્હોરા સમાજના ઘરે રોજેરોજ એક જ જગ્યાએથી જમણ પાકે અને દરેકના ઘરે ટીફીન દ્વારા પહોંચે છે તેવું મહા અભિયાન ચલાવેલ છે. જેની સંપૂર્ણ સફળતા મળેલ છે અને આજે અમેરીકા, લંડન, આફ્રીકા, દુંબઈ, કુવૈત, હિન્દુસ્તાન સહિત વિશ્ર્વના દરેક ગામમાં જય દાઉદી વ્હોરા સમાજ વસે છે તે જગ્યાએ ટીફીન પહોંચતા થઈ ગયા છે. આવા મહાન રહેબર ૫૩માં દાઈ અલ મુત્લક હોઝ હોલીનેશ ડો.સૈયદના વ મૌલાના અબુ જાઅફસ્સાદીક આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.) રહબરીમાં વિશ્વભરના લાખો દાઉદી વ્હોરા શાંતિ અને સદભાવનાનું સંપૂર્ણ પાલન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.