Abtak Media Google News

મકાઈનો ચારો આરોગ્યા બાદ પશુઓને ઝેરી અસર થઈ, પશુપાલન વિભાગે સમય સુચકતા વાપરી તાત્કાલીક સારવાર આપતા ૬૫ પશુઓના જીવ બચ્યા

કચ્છના મુન્દ્રા તાલુકાના મોટાકાંડાગરા ગામે મકાઈનો ચારો આરોગ્યા બાદ ૭૩ જેટલી ભેંસો અને પાડીઓને ઝેરી અસર થઈ હતી આ ઘટનાને પગલે ગ્રામજનોએ મુન્દ્રા પશુ પાલન વિભાગને જાણ કરતા તરતજ પહોંચી ગયેલી પશુપાલન વિભાગની ટિમ અને વેટરનરી ડો.એન.ટી.નાથાણી સહિતના સ્ટાફે તુરંત સારવાર શરૂ કરતાં ૬૫ જેટલાપશુઓ ને બચાવી લેવાયા હતા જોકે સારવાર પૂર્વે ૮ જેટલા પશુ મોતને ભેટ્યા હતા.અસરગ્રસ્ત પશુઓમાં ભેંસ,પાડી અને પાડાઑનો સમાવેશ થાય છે ગામના સરપંચ અને સભ્યોની સમય સુચકતા અને પશુ પાલન વિભાગની ત્વરિત સારવારને કારણે૬૫ જેટલા પશુઓ બચાવી લેવાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે અછત ગ્રસ્તસ્થિતિ દરમ્યાન મકાઈના ચારા આરોગતા પશુઓને આફરો અને ઝેરી અસરના બનાવો બની રહયા છે ત્યારેપશુપાલન વિભાગ અને પશુ ચિકિત્સકો મકાઈનો ચારો આપતા પહેલા પશુ માલિકોએ શું ધ્યાન રાખવુંએ અંગે માર્ગદર્શન સાથે યોગ્ય પગલા લે એ પણ વર્તમાન સમયની માંગ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.