Abtak Media Google News

ભગવાન મહાવીરના પર્યુષણ પર્વના પાવન દિવસો ચાલી રહ્યા છે. ત્યારે જૈન ભાવિકો દ્વારા ઉપવાસની કઠીન આરાધના કરવામાં આવી રહી છે. આવાજ રાજકોટના ભોગીભાઈ રતિભાઈ વોરા દ્વારા ઉપવાસની કઠીન આરાધના કરવામાં આવી રહી છે.

આજે ઉપવાસનો દિવસ ૬૩ સવંતસરીના દિવસે પૌષધ સાથે ૬૫ ઉપવાસ પૂરા થશે. માસખમણ ૧૯ વખત ૩૦ ઉપવાસ, ૪ વખત ૪૧ ઉપવાસ, ૪ વખત, ૪૫ ઉપવાસ, ૪ વખત ૫૫ ઉપવાસ ગયા વર્ષે ૬૧ ઉપવાસ કર્યા છે.

ચાલુ વર્ષે ૬૫ ઉપવાસની ભાવના છે. આજે તેમના ઉપવાસનો ૬૩મો દિવસ છે. પરંતુ ભગવાન મહાવીરના ઉપાસક એવા ભોગીભાઈ વોરાની તબીયત આવી કઠીન આરાધના કરતા સાતામાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.