Abtak Media Google News

તામિલનાડુની લીગલ રાઇટ કાઉન્સીલ દ્વારા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને અનોખા  ઘંટની ભેટ: રાજલક્ષ્મી માંડા દ્વારા રાજારથ રામેશ્ર્વરથી અયોઘ્યા પહોંચ્યો !!

ઉત્તરપ્રદેશના અયોઘ્યામાં ઐતિહાસિક રામમંદિર બનવા જઇ રહ્યું છે. આ રામ જન્મભૂમિ પરિસરમાં રામલલ્લાના મંદિર માટે એક અનોખો ઘંટ તૈયાર કરવામાં આવ્યો છે. જેનું વજન ૬૧૩ કિલો છે. આ ઘંટને વગાડવાથી તેમાંથી એમને ઘ્વનિ ઉત્પન્ન થશે જે દસ કિલોમીટર સુધીના વિસ્તારમાં ગુંજશે, અનોખી વિશેષતા ધરાવતો આ ઘંટ તમિલનાડુમાં તૈયાર થયો છે જે ત્યાંની લીગલ રાઇટ કાઉન્સીલ દ્વારા આજે ભગવાન શ્રીરામને ભેટ સ્વરુપે ધરવામાં આવ્યો છે.

ક્રાંસાથી બનેલ ૬૧૩ કિલોનો આ ઘંટ તમિલનાડુના રામેશ્ર્વરથી રામરથ યાત્રા દ્વારા ૪૫૦૦ કિલોમીટરની મુસાફરી બાદ અયોઘ્યામાં પહોચ્યો છે. વર્લ્ડ રેકોર્ડ બનાવેલ અને બુલેટ રાનીના નામથી પ્રસિઘ્ધ રાજલક્ષ્મી માંડા આ રામરથ ચલાવી મંગળવારે અયોઘ્યા પહોચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તમિલનાડુના રહેવાસી આ રાજલક્ષ્મી માંડા વિશ્ર્વમાં બીજા એવા મહિલા છે કે જેણે ૯.૫ ટન વજન ખેંચવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

આ રામરથમાં ૬૧૩ કિલોના ઘંટ ઉપરાંત શ્રીરામ, સીતાજી, લક્ષ્મણ, હનુમાન અને ગણપતિની કાંસાની મૂર્તિ પણ અયોઘ્યા લાવવામાં આવી છે. જેની આજે રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ભેટ આપવામાં આવી છે. આ યાત્રા ૧૭ સપ્યેમ્બરના રોજ પ્રસ્થાન થઇ હતી અને તમિલનાડુથી અયોઘ્યા સુધીની આ યાત્રામાં રથ દસ રાજયોમાંથી પસાર થયો હતો. રાજલક્ષ્મી માંડાએ આ અંગે જણાવ્યું કે, દરેક રાજયોમાં ઠેર ઠેર ભગવાન શ્રીરામ, સીતાજી, હનુમાન અન ગણેશ તેમજ લક્ષ્મણજીની મૂર્તિનું પુજન કરવામાં આવ્યું હતું. રામરથ યાત્રાની સાથે કુલ ૧૮ લોકો તમિલનાડુથી અયોઘ્યા પહોચ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.