Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં ૨૦ ડેપ્યુટી કલેકટરોને પ્રોબેશનલ પીરીયડમાં પોસ્ટીંગ: જેતપુર જસદણ, કોટડા સાંગાણી અને રાજકોટ તાલુકા મામલતદારોની જગ્યા ભરાઈ

રાજયના ૨૦ મામલતદારોની બદલીનો ઓર્ડર રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે નવા ૫૮ ડે.કલેકટરોને પ્રોબેશન પીરીયડમાં મામલતદાર તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. જેમાંથી ૨૦ મામલતદારોને સૌરાષ્ટ્રમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રેવન્યુ તંત્ર દ્વારા ૨૦ મામલતદારોની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. જયારે ૫૮ ડેપ્યુટી કલેકટરોને ટ્રેનીંગના હુકમ કરવામાં આવ્યા છે. ગઈકાલે મોડીરાત્રે રેવન્યુ તંત્ર દ્વારા મામલતદારની બદલીના હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટમાં ફરજ બજાવતા આર.ડી.ચૌહાણને અમદાવાદ, એ.એચ.સરસીયાને પાટણથી અમદાવાદ, આર.એમ.સોનીને ભુજથી ખેડબ્રહ્મા, એમ.એન.જોશીને ભાવનગરથી ગાંધીનગર, જે.ટી.હરિપરાને પોરબંદરથી વડોદરા, વી.એમ.ચૌધરીને વઢવાણથી ડાંગ, એસ.વી.ચમારને માળીયા હાટીનાથી કચ્છ, જે.એમ.વાછાણીને પોરબંદરથી રાજકોટ, એસ.જે.ચાવડાને રાજકોટ સિટીમાંથી કલેકટર કચેરીમાં, વી.કે.પટેલને બોટાદથી અરવલી, આર.એમ.દતાણીને સુરેન્દ્રનગરથી અમદાવાદ, વી.ડી.પૂજારાને કચ્છથી ભાવનગર, સી.ટી.હડીયાલને જામનગરથી ભાવનગર, એન.એમ.ચૌહાણને જાફરાબાદથી રાજુલા, કે.જી.ચાવડાને રાણપુરથી જાફરાબાદ તેમજ અર્જૂન ચાવડાને રાજકોટમાં જ રૂડા કચેરી ખાતે બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત ૫૮ જેટલા નવા ડેપ્યુટી કલેકટરોને પ્રોબેશન પીરીયડમાં મામલતદાર તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે જેમાં થાનગઢમાં વિપુલકુમાર સાકરીયા, માળીયા હાટીનામાં હિતેશ જનકાત, રાજકોટમાં જયસુખ લીખીયા, રાણાવાવમાં પાર્થ કોટડીયા, રાણપુરમાં દક્ષેશ મકવાણા, વાંકાનેરમાં સંદીપ વર્મા, ચોટીલામાં આશિષ મિયાત્રા, મોરબીમાં અનીલ ગૌસ્વામી, ઓખા મંડળમાં પ્રશાંત મંગુડા, પોરબંદરમાં વિવેક ટાંક, ઘોઘામાં રાહુલ ગમારા, વડીયામાં ડો.ભાર્ગવ ડાંગર, જસદણમાં પ્રિયાંક ગલચર, જેતપુરમાં પૂજા જોટણીયા, વઢવાણમાં કાજલ મોગા, ગારીયાધારમાં ભૂમિકા કોરીયા, કોટડા સાંગાણીમાં પૂજા બાવળા, લાલપુરમાં કિર્તન પરમાર, રાજકોટમાં મેહુલ બરાસરાને મુકવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.